#૧૧
Explore tagged Tumblr posts
freedomjournalism · 1 year ago
Text
જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં..
જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં.. સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા ના વોર્ડ – 11 માં બે મહિનાથી પાણી આવતું નથી વિસ્તાર ના 10 % લોકોને પણ પૂરતું પાણી મળતું નથી. 90 % લોકોને બે મહિનાથી પાણી બંધ છે. ત્યારે ફાટસર ની જનતા માં નગરપાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણી ની સમસ્યાને લઈને ગણપતિ ફાટસર ની જનતા હવે ઉગ્ર આંદોલન કરવાની ચર્ચા કરે છે. વિકાસ થી વંચિત ગણપતિ ફાટસર…..  ફાટસર માં પાણી નો કાળો…
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 11 months ago
Text
હું જેટલા વર્ષ જીવી તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો
૦. કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે. તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.
૧…વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતી નથી.
૨… ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગી છું.
૩… નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.
૪… ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.
૫… રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.
૬… વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.
૭… ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.
૮… ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૯… સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.
૧૦… બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ ��સ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે ��્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.
૧૧… હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતી કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૨… જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.
૧૩… લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.
૧૪… હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૫… ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.
૧૬… પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનં�� માણી લેતાં શીખી છું.
૧૭… કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગી છું. બોલવા કરતાં વાંચવા લાગી છું. ખુદને પ્રેમ કરવા લાગી છું
૧૮. નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.
આપ પણ જરા વિચારી, યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.
5 notes · View notes
adonlinein · 2 months ago
Text
0 notes
shaileshrathod · 1 year ago
Text
હાડગુડ પ્રાથમિક શાળમાં "ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ"સેમિનાર યોજાયો
PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન વિષય ઉપર તા.14/02/24 ના રોજ તજજ્ઞ શિક્ષણવિદ શૈલેષ રાઠોડે ઈન્ટરનેટની શોધ થી લઈ ભારત અને ગુજરાતમાં પ્રસાર તેમજ તેના ફાયદા, ગેરફાયદા અને સ્કેમની વિસ્તૃત માહિતી આપી હતી.ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તરુણ અને તરુણીઓ માટે જ ૧૧ જેટલા જરુરી તાલીમ…
Tumblr media
View On WordPress
0 notes
newscontinuous · 1 year ago
Text
0 notes
lalitvaishnav25 · 1 year ago
Text
Tumblr media Tumblr media
*શહેર કારોબારી અને મંડલ સશક્તિકરણ અભિયાન કાર્યશાળા*
તારીખ ૨૮/૧૧/૨૩, મંગળવાર, શહેર ભાજપ કાર્યાલય, ઉધના ખાતે કરવામાં આવ્યું એમાં ભાગ લઈ આગળની માહિતી સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજન ભાઈ ઝાંઝમેરા જી દ્વારા સુરત શહેર મહામંત્રી મૂકેશ ભાઈ દલાલ જી દ્વારા અને યુવા મોર્ચા શહેર પ્રભારી શ્રી ભાવિકા બેન ઘોઘારી અને યુવા મોર્ચા શહેર મહામંત્રી પાર્થ ભાઈ અને વિવેક ભાઈ ની હાજરી માં લીઘી.. ✌🏽✌🏽
0 notes
musawilliam · 1 year ago
Text
(643) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૯  (આંશિક ભાગ –૪)ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ  વલીભાઈ મુસા (રસદર્શનકાર)
ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (શેર ૧૦ થી ૧૧)   મૈં ને મજનૂઁ પે લડ઼કપન મેં ‘અસદ’સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા (૧૦) [લડ઼કપન= બાળપણ, શરારત; સંગ= પથ્થર; અસદ (ફા.)= સિંહ]  રસદર્શન ગ઼ઝલનો આ મક્તા શેર છે, છતાંય કે તે આખરી શેર નથી. મક્તા શેરમાં ગ઼ઝલકાર પોતાનું નામ દર્શાવતો હોય છે. અહીં ગ઼ાલિબે પોતાના મૂળ નામ અસદને પ્રયોજ્યું છે. આ શેરમાં લૈલા-મજનૂની કાલ્પનિક પણ ખ્યાતનામ પ્રેમકહાનીના નાયક મજનૂનો ઉલ્લેખ થયો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-live · 2 years ago
Text
Dream11 Tricks : 2 કરોડના વિજેતાએ ખોલ્યું રહસ્ય, આવી રીતે બનાવે છે વિજેતા ટીમ
Dream11 Tricks : 2 કરોડના વિજેતાએ ખોલ્યું રહસ્ય, આવી રીતે બનાવે છે વિજેતા ટીમ :
Tumblr media
0 notes
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
📕 શિક્ષાપત્રીની આ વાત તમે નહીં જાણતા હોય 🤯 🔴 🙇🏻‍♂️ દિવસે પાઠ કરવાની અનુકુળતા ન થઇ હોય તો રાત્રીએ પોતાનો સાંયકાળનો નિત્યવિધિ કર્યા પછી એક જ સ્થળે બેસીને આનો પાઠ આદરપૂર્વક કરવો.૧૧ 🌅/🌃 🔴 હે સંતો ! હે ભક્તો ! 👨‍🏫 આ શિક્ષાપત્રીનો પાઠ પ્રતિદિન ભોજન કર્યા પહેલાં પવિત્ર થઇને સ્વસ્તિક આસને બેસીને કરવો, ને પછીથી ભોજનરૃપ પ્રસાદ લેવો. રોગાદિ આપત્કાળમાં આ નિયમ ન જળવાય તો દોષ નથી.૧૦ જે રીતે પોતાના હૃદયમાં આ શિક્ષાપત્રીનો અર્થ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય, 🤔 તે રીતે મારા આશ્રિતોએ હમેશાં ધીરેથી સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે પાઠ કરવો.૧૨ 🗣️ 🤩 હે રાજન્ ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે સંતો-ભક્તો તે જ ક્ષણે ઊભા થઇ શ્રીહરિને પ્રણામ કરી, 🙏 અમે જેમ તમે કહ્યું તે જ પ્રમાણે ચોક્કસ કરશું. એમ બોલ્યા.૧૩ 👉 આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ��ર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ રચેલી શિક્ષાપત્રી અને અર્થદીપિકા ટીકાની ભગવાન શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી તેમજ શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિ મૂર્તિઓના પ્રગટ પ્રતાપનુ નિરૃપણ કર્યું, એ નામે સડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૭-- https://www.swaminarayan.faith/scriptures/gu/satsangi-jeevan/prakran-5/67 . . . #swaminarayanbhagwan #swaminarayantilak #swaminarayanchandlo #SwaminarayanStatus #Swaminarayan #swaminarayanvadtalgadi #SwaminarayanSiddhant #swaminarayan_sarvopari #swaminarayanphotos #swaminarayantemplekalupur #swaminarayansatsang #swaminarayantemplebhuj #swaminarayan #swaminarayan247 #jayswaminarayan #lordswaminarayan #swaminarayanworld #swaminarayanmandirkalupur #swaminarayanchhapaiya #shikshapatri #jaishreeswaminarayan #jaiswaminarayan https://www.instagram.com/p/CqsyI8lIVke/?igshid=NGJjMDIxMWI=
0 notes
stevebond009 · 2 years ago
Photo
Tumblr media
ભવિષ્યની ટ્રેનિંગ લેતા પોલીસકર્મીઓએ ગુજરાતી ફિલ્મ  "વર્જીનીટી ડીલ"  નિહાળી. ગુજરાત પોલીસની ઉમદા કામગીરી અને સાચા અર્થમાં સમાજસેવા અને સમાજસુરક્ષા આપતા બાહોશ કર્મચારીઓના મનોરંજન માટે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને કાસ્ટિંગ ડિરેક્ટરે  ફિલ્મ  "વર્જીનીટી ડીલ" બતાવવાની ભલામણ કરી. જે પોલીસ કમિશનર શ્રી ચૌહાણ સાહેબ અને ડીએસપી શ્રી પટેલ સાહેબની પરવાનગી અને સંપૂર્ણ સહયોગ મળવાથી તા. ૧૧, ફેબ્રુઆરીએ "કરાઈ પોલીસ  એકેડેમી"ના ઑડિટોરીયમમાં સાંજે ૪ વાગે પ્રદર્શિત કરવામાં આવી. આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર,રાઈટર,લીડ એક્ટર પરાગ પંડયા, કાસ્ટિંગ ડાયરેક્ટર કૃત્યા પંચાલ , એક્ટર ડો.પ્રશાંત પંચલોટિઆ અને અન્ય કલાકારો હાજર રહ્યા હતા. પુષ્પગુચ્છથી હાજર રહેલા જે પોલીસ  અધિકારીશ્રીઓનું સ્વાગત કરાયું હતું એમાં મુખ્ય મહેમાન શ્રી એન.પી.પટેલ સર અને શ્રી એસ.પી સાહેબ સુજાતા મજમુદર શ્રી પી.આઇ. આર.જે.બોડટત સાહેબ શ્રી પી.એસ.આઈ .કે.એસ.જીનજાલા સાહેબ શ્રી પી.એસ.આઈ. એ.એમ.જોષી સાહેબ શ્રી પી.એસ.આઈ. આર.ડી.સામબડ સાહેબ. આખા કાર્યક્રમનું સંચાલન કાસ્ટિંગ ડિરેક્ટર કૃત્ય પંચાલે સંભાળ્યું હતું. પ્રોડ્યુસર પરાગ પંડયાએ પ્રાસંગિક પ્રવચન કરતાં સ્ત્રીસશક્તિકરણના મુદ્દા પર સર્જાયેલી આ ફિલ્મમાં આવરી લેવામાં આવેલા બીજાં સામાજિક પ્રશ્ર્નો પર પ્રકાશ પાડ્યો હતો. પુરુષમિત્ર દ્વારા કરાતું સ્પાઈક્ડ પીણું, નશામાં ડૂબેલ��ં યુવાધન, સ્વચ્છતાના અભિગમની ઉણપ, છોકરીઓનું આત્મહત્યા તરફ ઝૂકવું વગેરે ગુનાહિત માનસ પ્રવૃત્તિઓ પર આ ફિલ્મ સચોટ ઉદાહરણ દર્શાવે છે. અને એમાંથી મુક્ત થવા સમાજનાં અગ્રણીઓએ શું કરવું જોઈએ, એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ ઉપરાંત આ ફિલ્મમાં એક પાયાનો મુદ્દો વણી લેવામાં  આવ્યો છે જે છે  -- સમાજના લોકોએ અને ખાસ કરીને  યુવતીઓ તથા સ્ત્રીઓએ પોલીસની મદદ અચૂક લેવી જોઈએ . સુરક્ષા માટે આજે સૌથી વધુ ભરોસાપાત્ર આપણી પોલીસ જ છે. અંતમાં એક આત્મહત્યા તરફ ઝૂકેલી યુવતીને એક બુઝુર્ગ કેવી રીતે બચાવી નવી જીંદગી આપી આત્મનિર્ભર કરે છે એની સુંદર છણાવટ દર્શાવી છે. ફિલ્મને કૉમેડી સંવાદોથી મનોરંજક બનાવવામાં આવી છે. ફિલ્મનું સંગીત અને એનાં ગીતો પ્રેક્ષકોએ ખૂબ માણ્યા. પોલીસકર્મીઓમાં ડીએસપી, ડીવાયએસપી, પીઆઈ  અને  કમાન્ડોની ખૂબ મોટી સંખ્યામાં હાજરી સૂચક હતી. પૂરાં પ્રસંગ દરમ્યાન બધાંજ પોલીસકર્મીઓએ ફિલ્મને ખૂબ  માણી હતી એ એમની ચિચિયારીઓ પરથી વિદિત થતું હતું શ્રી એન.પી પટેલસાહેબે ફિલ્મના વખાણ કરતાં કથાવસ્તુ ફિલ્મનું મજબૂત જમાપાસું છે એમ વર્ણવ્યું. ફિલ્મના સમાપ્ત થયા બાદ કેટલાક પોલીસકર્મીઓએ સરસ રિવ્યુ આપી કહ્યું હતું કે આવી ફિલ્મો સમાજસુધારક સાબિ (at Police Academy Karai) https://www.instagram.com/p/CooUt4utNP1/?igshid=NGJjMDIxMWI=
0 notes
gujarat-news · 3 years ago
Text
૧ વર્ષમાં મધ્યઝોનમાં ૧૧ અને પશ્ચિમ ઝોનમાં ૧૧૦ રસ્તા મ્યુનિસિપલ તંત્ર દ્વારા રીસરફેસ કરાયા, Gujarat -News
૧ વર્ષમાં મધ્યઝોનમાં ૧૧ અને પશ્ચિમ ઝોનમાં ૧૧૦ રસ્તા મ્યુનિસિપલ તંત્ર દ્વારા રીસરફેસ કરાયા, Gujarat -News
૧ વર્ષમાં મધ્યઝોનમાં ૧૧ અને પશ્ચિમ ઝોનમાં ૧૧૦ રસ્તા મ્યુનિસિપલ તંત્ર દ્વારા રીસરફેસ કરાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,શુક્રવાર,13 ઓગસ્ટ,2021 અમદાવાદ શહેરના રસ્તા રીસરફેસ કરવાની બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એકને ગોળ અને બીજાને ખોળ જેવી નિતી જોવા મળી રહી છે.એક વર્ષમાં મધ્યઝોનમાં સૌથી ઓછા ૧૧ અને પશ્ચિમ ઝોનમાં ૧૧૦ રસ્તા તંત્ર દ્વારા રીસરફેસ…
Tumblr media
View On WordPress
0 notes
freedomjournalism · 1 year ago
Text
ધોળી ધજા ડેમમાંથી ગણપતિ ફાટસર ના યુવાનની ડેડબોડી મળી, જાણો શું છે પૂરી ઘટના...
ધોળી ધજા ડેમમાંથી ગણપતિ ફાટસર ના યુવાનની ડેડબોડી મળી. વઢવાણ નાં ગણપતિ ફાટસર માં આવેલ સિદ્ધિ નગર સોસાયટી માં રહેતા સ્વ. કિશોર ભાઈ ડી વાઘેલા નો દિવ્યાંશ નામનો ૧૮ વર્ષ ની ઉમરનો પુત્ર ગઈ કાલે તા : ૧૧/૦૮/૨૦૨૩ નાં રોજ બપોરે આશરે એક વાગ્યાની આજુ  બાજુ કોલેજ થી ગુમ થયેલ જેની ડેડબોડી આજે સાંજે આશરે ચારેક વાગ્યે ધોળી ધજા ડેમ માંથી મળતા સમગ્ર ફાટસર વિસ્તાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું. વિકાસ થી વંચિત…
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 1 year ago
Text
Tumblr media
*કોટયર્ક પ્રાકટ્ય મહોત્સવની - વધાઈ*
*૭૦૦ વષૅનું પ્રાચીન તીથૅ કોટીયકૅ*
સમગ્ર ભારતની ખડાયતા જ્ઞાતિના ત્રણ લાખ
લોકો ઇષ્ટદેવ શ્રી કોટ્યર્ક પ્રભુનો પ્રત્યેક કારતક
સુદી ૧૧ના રોજ પ્રાકટ્ય મહોત્સવ ઉજવે છે
(૧) ‘કહાન્ડે પ્રબંધ’ સંશોધન ગ્રંથમાં ૮૪ પ્રકારની વણીક જ્ઞાતિમાં ખડાયતા જ્ઞાતિનો ઉલ્લેખ છે.
(૨) ખડાયતા જ્ઞાતિનું ઉદ્‌ભવ સ્થાન - ખડાત (ગામ) ખડ યા ષડખડાયતા અટક પડી
(૩) પ્રથમ અખીલ ખડાયતા જ્ઞાતિના પરિષદ ૧૯૧૬માં મળી હતી. આશરે ૧૦૭ વર્ષ પહેલાં
(૪) ખડાત ગામનું નામ મહાકવીનગર (આનંદ સુરિના શીલાલેખ મુજબ)
(૫) સમગ્ર ભારતની જ્ઞાતિનું મુખપત્ર ૧૬૦૦૦ નકલો સાથે ૭૬ વર્ષથી એકધારું પ્રકટ થાય છે.
(૬) ખડાયતા જ્ઞાતિમાં દશા અને વિસાના બે ભેદ છે. પ્રભુની મૂર્તિના જમણી બાજુ કુળદેવીથી ઉભા રહ્યા તે વીસા ખડાયતા ડાબીબાજુથી પ્રકટ થયા તે Dasha
(૭) દુનિયાના ૪૦ દેશોમાં ખડાયતા વસે છે.
સમગ્ર ખડાયતા જ્ઞાતિના કોટયર્ક પ્રભુનું મંદિર મહુડી (વિજાપુર) પાસે આવેલું કોટયર્ક ધામ છે. સમગ્ર ભારતમાં વસતો ખડાયતા અહીં દર્શને આવે જ.
સંવત ૬૧૧માં રૂદ્રમન રાજાએ શ્રી કોટયર્કજીમાં ખડાત ગામમાં મહાયજ્ઞ કર્યો હતો. મૂળમાં ખડાયતાના પૂર્વજો દરિયાઈ સફર ખેડી દેશવટો કરતા વાણ દ્વારા જવાનું થતું એટલે વહનીયા જેવી અટકથી ઓળખાતા શબ્દના અપભ્રંશથી વાણીયા બની ગયા.
વણીક શબ્દ વ્યવસાય સૂચક છે. પ્રાચીન કાળમાં વાણીયાની ૮૪ જેટલી જ્ઞાતિઓ અસ્તિત્વમાં હતી તેમ મનાય છે.
ઇ.સ. ૯૧૧માં નાગરો વડનગર અને સ્કંદપુરમાં વસ્યા.
સ્કંદપુરવાળો લોક સમુદાય જુદો પડ્યો અને ત્યાં રહેતા વણિકો સ્કંદયતા તરીકે ઓળખાયા જે અપભ્રંશ થતાં ખડાયતા કહેવાયા.
માન્યતા મુજબ ખડાયતા મુળે નાગર વાણીયા હતા.
ઇ.સ. ૧૦૯૩માં સિદ્ધરાજના સમયમાં ખડાયતા જ્ઞાતાિ બાર ગોત્રો પ્રચલિત થયા. ખડાયતાઓનું મૂળ ગામ ખડાત (જે આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે વસ્યાનો ઉલ્લેખ કેટલાક ગ્રંથોમાં છે.
ઇ.સ. વિ.સ. ૧૩૦૬માં વાણિયા તરીકે ખડાયતા નામ રૂઢ થયું હતું. વસ્તુપાલ તેજપાલના સમયના ચોર્યાશી પ્રકારની યાદીમાં ખડાયતા જ્ઞાતિનો ઉલ્લેખ છે.
ખડાયતા શબ્દનો ઉપયોગ કહાનડે પ્રબંધમાં તેરકા સૈકામાં થયેલો મળી આવે છે.
સંવત ૧૩૩૧ ના ધાતુ પ્રતિમા લેખમાં ખડાયતા શબ્દ વપરાયેલો જોવા મળે છે. ખડાયતા છે મૂળ વતનીઓ દેશીય એટલે સરળતા દશા કહેવાયા.
જે ગામમાં ખડાતમાં રહેતા હતા. બહારથી આવીને ખડાત્‌ માં આવ્યા તો વિદેશીય અપભ્રંશમાં વીશા કહેવાયા.
બીજો સંદર્ભ છે વાણીયાઓમાં એક વખત વહેંચણી થઈ ત્યારે એક તરફ દશા રહ્યા તેમના વંશજો દશા કહેવાયા.
બીજી તરફ વીશા (૨૦) રહ્યા તેમના વંશજો વીશા કહેવાયા.
કુળદેવીની જમણી બાજુએથી પ્રકટ થયા તે વીશા કહેવાયા. અને ડાબી બાજુથઈ પ્રકટ થયા તે દશા કહેવાયા. ગૌત્ર પરથી જ્ઞાતિ ઓળખાતી ગૌત્ર એટલે જ કુળ-વર્ણ. કુળના સમુહના મુળ પુરૂષ ઉપરથી પડેલું છે. ગોત્રો ૠષિ પ્રણીત છે.
હાલમાં ખડાયતા જ્ઞાતિનો કુલ બાર ગોત્રો છે.
(૧) ગોદાણી - ગુણ સૂર્યા દેવી
(૨) નાંદોલુ - નેપુ દેવી
(૩) નંદિયાણુ - નટેશ્વરીદેવી
(૪) નાણું - નિત્યાનંદ દેવી
(૫) નરસાણું - નારસંિહી દેવી
(૬) વસિયાણું - વિશ્વેશ્વરી દેવી
(૭) મેરવાણું - મહિપાલિની દેવી
(૮) ભટ્ટ સ્વાણુ - ભંદોદરી દેવી
(૯) સાવલાણું - શાંકરી દેવી
(૧૦) સાલીસાણું - સુરેશ્વરા દેવી
(૧૧) કામરાણું - કામાક્ષી દેવી
(૧૨) કલ્યાણું - કલ્યાણી દેવી
દરેક ગોત્રનો ઇતિહાસ જુદો છે. લગ્નોમાં ગોત્ર ખાસ જોવાય છે. એક જ ગોત્રમાં લગ્નનો નિષેધ છે.
ગોત્રધા ન થાય. શાસ્ત્રમાં મનુ ભગવાને સગોત્રીય લગ્ન અંગે મના ફરમાવી છે. જેનો ખડાયતા જ્ઞાતિમાં અમલ થાય છે. આનુવંશિક શાસ્ત્ર મુજબ સગોત્રીય લગ્નોથી ઉત્પન્ન થતી પ્રજા નબળી થાય છે.
કોટયર્ક નો અર્થ (કોટિક અર્ક = કરોડો અર્ક = સૂર્ય જે પ્રભુમાં કરોડો સૂર્ય જેટલું તેજ સમાયેલ છે તેવા પ્રભુ હંિદુ ધર્મના ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વિષ્ણુ ભગવાનને પોતાના આરાઘ્ય દેવ ગણનારા ખડાયતા-વૈશ્ણવ શ્રીમદ્‌ જગદ્‌ગુરૂ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આજથી લગભગ પાંચસો પાંત્રીસ વર્ષ પૂર્વે થઈ ગયા.
તેમણે પુષ્ટિમાર્ગ (જતીપુરા) સેવા માર્ગની સ્થાપના કરી મુખ્ય દેવ ગોવર્ધન પર્વતમાંથી પ્રકટ થયેલા શ્રીનાથજી બાવાના સ્વરૂપને સ્વીકાર્યું. આ સ્વરૂપ હાલમાં શ્રીનાથદ્વારામાં શ્રીજીબાવા સ્વરૂપે બિરાજે છે.
કોટયર્ક પ્રભુનું પ્રાકટ્ય શ્રીનાથજીના સમય પહેલાં થયેલ હોવાથી મૂળ ઇષ્ટ શ્રી કુળદેવ કોટયર્ક પ્રભુ પણ ઇષ્ટદેવ તરીકે ખડાયતાઓ આરાઘ્ય દેવ શ્રીજીબાવા ની સેવા કરે છે.
ખડાયતા જ્ઞાતિના મોટાભાગના પરિવારો આજે ઇષ્ટદેવ તરીકે શ્રીજીબાવાના દર્શને વાંરવાર જાય છે.
ભગવાન વિષણુનું કરોડો સૂર્યના તેજ જેવું અંગ પ્રકટ થવું તે કોટયર્ક પ્રભુ. પૃથ્વીના પ્રલયકાળે ઠાકોરજી ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહ્યા હતા.
તેમના કર્ણમાં ભેગો થયેલો મેલ બહાર નીકળ્યો જેમાંથી મઘુ અને કૈટભ નામના બે રાક્ષસો ઉત્પન્ન થયા.
આ રાક્ષસો દેવો ઇન્દ્ર અને ૠષિઓને ખુબ પરેશાન કરતા હતા. તેમના નાશ માટે બ્રહ્માજી દ્વારા દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી. વિષ્ણુ ભગવાને વિનંતી સ્વીકારી.
ભગવાન વિષ્ણુએ કરોડો સૂર્યના તેજ જેવું શ્રી અંગ પ્રકટ કર્યું તે જ શ્રી કોટયર્ક મહાપ્રભુ તરીકે ઓળખાયું.
બન્ને દૈત્યોને પોતાની સાથળ ઉપર સુવાડ્યા અને તેમનાં મસ્તક ચક્ર વડે છેદીને નાશ કર્યો. આ દિવસ હતો કાર્તિક સુદ બારસ.
બ્રહ્માજીની વિનંતીથી સાબરમતીના પવિત્ર કિનારે વિષ્ણુ ભગવાનના આ સ્વરૂપની સ્થાપના કરી આ તીર્થધામ કોટયર્ક મંદિર (મહુડી પાસે) બન્યું.
તમામ ખડાયતા જે દેશભરમાં વસે છે આ કારતક સુદી ૧૨ને કોટયર્ક મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ અચૂક ઉજવે છે. તેને ઓચ્છવ કહેવામાં આવે છે.
આઘ્યાત્મિક રીતે જોતાં કોટયર્કનું સ્વરૂપ તેજ પૂંજ છે. ખડાયતાઓ આથી તેજસ્વી ગણાયા છે.
શ્રી કોટયર્ક પ્રભુની મૂર્તિ ગૌરાંગ છે તેથી તેનું પ્રાકટ્ય સત્‌યુગમાં મેનાયર્ક દ્વાપર ત્રેતા ને કલિયુગમાં પ્રાપ્ત થયેલી મૂર્તિઓ શ્યામ હોય છે.
માન્યતા મુજબ અમૃત મંથન વખતે શંકર ભગવાને વિષપાન કર્યું હતું તેથી એ નિલકંઠ કહેવાયા.
અમૃતમંથન વખતે શ્રી શંકર ભગવાન શ્રી કોટયર્ક ધામમાં જઈ વસ્યા હતા. તીર્થ આજે નિલકંઠ નામે ઓળખાય છે. (સંદર્ભ પદ્મપુરાણ મહાત્મ્ય અઘ્યાય ૧૩-૧૪)
પદ્મપુરાણ મુજબ સૂર્યદેવે બ્રાહ્મણવેશે રહી શ્રી કપાલેશ્વર મહાદેવના ઘ્યાનમાં ઉગ્ર તપ કર્યું હતું.
એક વર્ષ તપ કર્યું. શંકર ભગવાને સૂર્ય નારાયણને દર્શન દીધાં આથી શ્રી કોટયર્કજીના તીર્થધામને સૂર્યક્ષેત્ર ગણવામાં આવે છે.
કોટયર્ક તીર્થધામમાં મહર્ષિ વાલ્મીકનો આશ્રમ પણ હતો.
ભગવાન રામચંદ્રજીએ પોતાના રાજ્યાભિષેક પછી સીતાજીનો ત્યાગ કર્યો હતો ત્યારે આ વાલ્મીકી આશ્રમમાં રહ્યા હતા અહીં લવ અને કુશ નામના બે પ્રતાપી પુત્રો થયાહતા. (પદ્મ પુરાણ - ૧૮-૧૯-૨૦ અઘ્યાય)
પ્રાચીન સમયમાં આ વખતે શ્રી દધિચી ૠષિનો આશ્રમ હતો.
કોટયર્ક તીર્થમાં કાર્તીક સુદી એકાદશીએ મેળો ભરાય છે.
અહીં ગણેશ સ્થાપન અને શ્રી હનુમાનનું સ્થાપન થયેલું છે.
શ્રી કોટયર્કજીનાં પુરાણોક્ત નામ મઘુરાર્ક ‘મઘુરાર્ક’ મઘુરાહરિ છે.
એ પુરાણ ભાવનાને વિષ્ણુ પૂજાનાં પ્રતિક છે. કોટયર્કજી પુરાણ ભાવનાના વિષ્ણુ યા વૈષ્ણવી સંપ્રદાયના શ્રી કૃષ્ણ.
ખડાયતા ગોત્ર વૃતાંત નામના ગ્રંથમાં શ્રી કોટયર્કજીનું મંદિર ઇસવીસન ૫૦૦ની સાલમાં સ્થપાયાનો ઉલ્લેખ છે.હાલ જે મંદિર છે તેની 1921 ની સાલમાં જૂનુ મંદિર જર્જરીત થવાથી પ્રતિષ્ઠા કરવા માં આવી હતી , છેલ્લા ચારેક વર્ષ થી આ સ્થાનક નો વિકાસ ઉડી ને આંખે વળગે એવો થયો છે ખડાયતા ઓ માટે અદ્યતન સગવડો ધરાવતું આ તીર્થ બેનમૂન છે હાલમાં મંદિર માં કોટયઁક જી ના ભવ્ય દર્શન નીસાથે સાથે પ્રસંગો ઉજવવા 50 માણસ થી લઇ 1500 માણસ ની ક્ષમતા વાળા હોલ છે 3 રસોડા છે 200 જેટલી રુમો જેમાં 35 એ.સી ટી.વી સહીત ની છે ; સમગ્ર પરિસરમાં પેવર સરફેસ અને cctv કવરેજ છે , ભોજન પ્રસાદ માં દરરોજ એક મીઠાઈ, એક ફરસાણ, એક શાક , એક કઠોળ, દાળ, ભાત, અને રોટલી/પુરી આપવામાં આવે છે ફકત ખડાયતા ને જ આપવામાં આવતું હોવાથી જ્ઞાતિ જનો ને સરળતા થી ઉપલબ્ધ થાય છે, ખુબ જ નજીવા દરે આ બધીજ સગવડો મેળવી શકીએ છીએ.
તમામ જ્ઞાતિજનો ને શુબકામનાઓ...
________________________
From: મહેન્દ્ર મેરવાણા - દિલ્હી
જય શ્રી કૃષ્ણ 🌺 🦚 🪷
2 notes · View notes
anticrimenewsgujarat · 3 years ago
Text
ACNG TV અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬ એપ્રિલના રોજ યોજાશે
ACNG TV અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬ એપ્રિલના રોજ યોજાશે
ACNG TV અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬ એપ્રિલના રોજ યોજાશે અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬ એપ્રિલના શનિવારે સવારે ૧૧ કલાકે અમરેલી કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે રાખવામાં આવેલ છે. બેઠકમાં ફરિયાદ સમિતિ તરીકે લોકપ્રતિનિધીશ્રીઓ અને સંકલન સમિતિ તરીકે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં નિકાલમાં બાકી કેસોની સમીક્ષા, બાકી પેંશન કેસોની સમીક્ષા તેમજ વસુલાત અંગેની ચર્ચા…
Tumblr media
View On WordPress
0 notes
winjoyworld · 5 years ago
Text
What is LIFE ? According to Father Vales , Do read to live and make life meaningful !
જીવન શું છે ? – ફાધર વાલેસ
જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારાપાકની આશા કેમ રખાય ?
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફ��્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી,  જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.
   જીવન જીવવાની જડીબુટ્ટી ,
   ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતેચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!  
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30  મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો..
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માંઊગેલી
      વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ .
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનોઆનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજલોઅને ભિખારી જેટલું રાત્રે જમો.
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી
     સંભાળરાખશામાટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારીઆવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏ લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ
જોયા છે તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે અરે! આપ શું જાણો આ સ્મિતમા
કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી. જે થયું નથી એનો અફસોસ શાને કરો છો, આ જીંદગી જીવવા માટે ��ે, આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.
બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો નસીબથી મળી છે  જીંદગી તો એને જીવી જાણો.
1 note · View note
Video
youtube
શનિવારી અમાસ ના ઉપાયો | Lalkitab Harivadan Choksi
Join us Whats app :
https://chat.whatsapp.com/Edwhs09CZnEFOxcsotvcXp
સેમિનાર નંબર : ૧૧ , ટૂંક સમય માં આવી રહ્યો છે , અમદાવાદ શહેર માં , જાણીયે જીંદગી ને નજીક થી ,
તો ચાલો બદલીયે જીંદગી ૨ જૂને ૨૦૧૯ રવિવાર સમય:૧૧ થી ૩. સ્થળ:ઠાકોરભાઈ દેસાઈ હોલ,એલીશબ્રિજ,લો ગાર્ડન,અમદાવાદ.
પાસ માટે ની વિગત થોડા સમય માં ફેસબુક એન્ડ યૂટ્યૂબ ના માધ્યમ થી આપવા માં આવશે.તો અમારી સાથે જોડાયેલા રહો જેથી નવી બધી માહિતી તમને સમય પર મળતી રહે.
Contact us:9909352526.
What's App Group Join us: 9909352526, Write to "JOIN"
Facebook: https://www.facebook.com/lalkitabhari...
Twitter:https://twitter.com/kitab_lal
1 note · View note