👉 ગામમાં સારા શિક્ષક આવે તો શું ફાયદો થાય એની સત્ય ઘટના .... Inspiring
શિક્ષક કભી સામાન્ય નહિ હોતા.........👇🏽👇🏽👇🏽
વાત છે ઈ.સ 1996 ની પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લા માં અંબાજી તાલુકા નાં સિધખડી ગામ નો સરકાર શ્રી માં થી શિક્ષક તરીકે નિમણૂક પામી રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામ ના ઈશ્ર્વર નાનજી ભાઇ પટેલ ઉ.વ 24 તે ગામ ની શાળા માં એક શિક્ષક ની જવાબદારી સાથે પહોંચ્યા 1800 ની વસ્તી 95% આદીવાસી સમાજ ની વસ્તી 80% તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ દેશી મહુડા ના દારૂ નાં વ્યસન વાળા અંધશ્રદ્ધા ભારોભાર દેવ દેવી સામે બલી પ્રથા તો જાણે સામાન્ય સૌરાષ્ટ્ર ના સારા ગામ માં થી ગયેલ પટેલ પરીવાર નો આ દિકરો તો પહેલાં હેબતાઈ જ ગયો પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો કે મને કુદરતે આવી પરીસ્થિતી માં પરિવર્તન લાવવા જ નીમિત બનાવી ને જ મોકલાવ્યો છે જે થાય તે હરી ઇરછા હું મહેનત કરીશ બદલી માટે ના કોઈ પ્રયાસ નહીં જ કરૂં થોડા ટાઇમ માં સગપણ ની વાત આવી બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્ન શિલ હતા પણ આતો સરદાર પટેલ નો વંશજ પાટીદાર હતો અડગ નિર્ણય પર કાયમ રહ્યો થનાર પત્ની ને આ ગામ ની વાત કરે ને હા ના થઇ જાય પણ ગાંધીજી ને કસ્તુરબા મળે એમ ઈશ્ર્વર ભાઈ ને રેખા બેન નો સંગાથ મળ્યો અને બંને એ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી ટોટલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા તેમાં એક તો જાણે સરકાર નો જમાઇ કામચોર શાળા એ આવ્યા વગર જ પગાર લે ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં પણ ઈશ્ર્વર ભાઈ ને ખુંચે પોતે જ ફરીયાદી બન્યાં જીલ્લા અધીકારી ઓ નૂં ધ્યાન દોર્યુ તો જીલ્લા અધીકારી એ કામચોર ને શિક્ષા ની બદલે શિસ્ત ભંગ ની નોટીસ ઇશ્ર્વર ભાઈ ને આપી તો બીજી તરફ પેલા કામ ચોર એ ગામ ના બે ત્રણ ભોળા ગ્રામજનો ને ઉશ્કેરી ઈશ્ર્વર ભાઈ ને ઢોર માર મરાયો 13 દિવશ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા પણ ઇશ્ર્વર ભાઈ એક ના બે ના થયા ફરી તેજ ગામ માં ગયા સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા ઈશ્ર્વર ભાઈ ની નિષ્ઠા જોઈ અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી સમય જતાં ગ્રામજનો ને સત્ય સમજાયું ગામ ના બાળકો નિયમિત ભણવા આવ્યા બાદ માં સરકાર શ્રી સાથે પત્ર વ્યવહાર કરી શાળા ની નવી ઇમારત બનાવી તેમના પત્ની શિક્ષક ના હોવા છતાં નિયમીત પણે ભણવા લાગ્યા સમય ગયો ગામ ને મહેનત થી 100% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા સરકાર સાથે સંકલન કરી ગામ ને રોડ રસ્તા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે ની સવલત આપી ગામ માં 2003 થી સંપુર્ણ બલી પ્રથા થી મુક્તિ આપી આજે ગામ ના 23 યુવોનો શિક્ષક છે 23 યુવતીઓ નર્સ છે ગામે ઈશ્ર્વર ભાઈ ના પત્ની રેખા બહેન ને છેલ્લી 3 ટર્મ થી બીનહરીફ સમરસ સરપંચ બનાવે છે ગામ દારૂ તો દારૂ પણ સોપારી મુક્ત કર્યું છે તેમના બંને સંતાનો ને શિક્ષણ પણ ગામ ની શાળા માં જ આપ્યું છે અને ઈશ્ર્વર ભાઈ ના પીતા ના મૃત્યુ ના બેસણા માં 80 વાહન ભરાઈ ને માણસો આવ્યા હતા પાલનપુર ના હિરા બજાર ના જૈન વ્યાપારી સાથે સંકલન કરી ગામ માં નવી હાઇસ્કુલ બની છે હાલ ગામ ના 5વિધાર્થી ias /ips ની તૈયારી કરી રહ્યા છે હજી ગામ માં પોતાનું ઘર નથી ભાડે રહે છે.
ગામ માં કોઇપણ ચુંટણી માં 90% જેટલું મતદાન થાય છે આધાર કાર્ડ બનાવવા ના હોય કે માં અમૃૠતમ યોજના ના મેડિકલ કાર્ડ ઈશ્વર પોતે જ જવાબદારી લઇ લે છે છેલ્લાં 3 વર્ષ થી આખા ગામ માં એકજ વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે હવે તેમને ગામ માં ગામના જ નોકરી કરતા યુવાનો નો એક એક પગાર લઇ ને ગામ માં જીમ ચાલુ કર્યું છે 1998 પછી ગામ ની એક પણ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો ઈશ્ર્વર ભાઈ ની સમજાવટ થી જ સમાધાન કરાવે છે.... આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ .......
કોઇ કોમર્શિયલ બાવા ને વંદન કરતાં આવા ઈશ્ર્વર ભાઈ જેવા શિક્ષક ને મનોમન યાદ કરીએ.
👉 💐💐👍
0 notes
ભારતીયોના રોલ ચોરી લેવાનો આક્ષેપ મારા પર છે : દેવ પટેલ https://ift.tt/2UeRDF4
0 notes
પાટણ યુનિવર્સિટીમાં શતાવધાન નો શંખનાદ કાર્યક્રમ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)
પાટણ યુનિવર્સિટીમાં શતાવધાન નો શંખનાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ.પૂ મનમંદિર વિજય મ .સા દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રહેલી શક્તિ અંગે જાગૃત કર્યા હતા.
પૂ .નીતિસુરી સમુદાયના પ. પૂ. આ. દેવ શ્રીમદ વિજય લલીતપ્રભ સુરીશ્વરજી મ. સા.ના પ્ર .શીસ્યરત્ન શ્રી મનમંદિર વિજયજી મ .સા દ્વારા શુક્રવાર ના રોજ હેમ. ઉ. ગુ. યુનિ ના બીબીએ વિભાગ દ્વારા યુનિ ના રંગભવન હોલ…
View On WordPress
0 notes
કડી તાલુકાના વિડજ ગામમાં વિશ્વની પ્રથમ ‘‘માનવ કથા’’યોજાઇ
વિડજ ગામની પાવન ધરાપર ગોગા મહારાજના ધામે નાનશાભા મુખી પરિવાર પ્રેરિત માનવ કલ્યાણ હેતુ વિશ્વની પ્રથમ ‘‘માનવ કથા’’ યોજાઇ. સર્વ શાસ્ત્રો,પુરાણો તથા ધર્મ અને કર્મના દર્શન કરાવતા ધાર્મિક દ્ષ્ટાંતોના આધારે સનાતન ધર્મની કલ્યાણકારી પ્રથમ ‘‘માનવ કથા’’ના વક્તા માનવ કથાકાર ખોડાભાઈ પટેલ "ધર્મેશ"જેઓએ દીકરીઓની વંદના, જન્મ ઉજવણી,લગ્ન સંસ્કાર વિધિ,માતા પિતાની વંદના, માનવ અવતારોનું મહત્વ, ભગવાનના અવતારોનું મહત્વ, જીવદયા, પરોપકાર, પર્યાવરણનું મહત્વ,દેહ મૃત્યુ સનાતન સત્ય,ભજન-સત્સંગ, કર્મ,સનાતન ધર્મ,યોગ-ધ્યાન,સંગીત સાધના,સેવા-સદાવ્રત,સત્યનિષ્ઠા તથા વફાદારીનું મહત્વ વગેરે વિષયોપર પાત્રોની ભજવણી સાથે" માનવ કથા"નું રસપાન કરાવ્યું હતું.
ધર્મરત્ન ભુવાજી શ્રી રાજાબાપા કાસવા,પૂજ્ય અયોધ્યાદાસજી તથા પૂજ્ય રાઘવદાસજી સાયલા,પૂજ્ય કાલિદાસજી દેકાવાડા,પૂજ્ય ધનશ્યામદાસજી,પૂજ્ય ખોજીજીબાપુ,રાજયોગિની સંગીતાદીદી, પૂજ્ય રામચન્દ્રગિરિબાપુ, પૂજ્ય રમણભાઈ, પૂજ્ય હિરબા દશામાધામ કડી, પૂજ્ય પ્રકાશશાસ્ત્રીજી, પૂજ્ય દિનેશભાઈ,ધારાસભ્ય કરશનભાઇ કડી,તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન કડી,નગરપાલિકા પ્રમુખ શારદાબેન કડી,ધાર્મિક તથા સામાજિક સંગઠનો, શિક્ષણ ના વડાઓ,ભજન સત્સંગ મંડળ,શાળાના બાળકો તથા વિડજગામ અને આસપાસના વિસ્તારના સર્વ ભક્તોએ ઉપસ્થિત રહી તન,મન અને ધનથી કથાને શોભાવી હતી.પૂજ્ય દેવ મોરારિબાપુ, શ્રી ગોગાનવલજીની જગ્યા સાંચોર, ઉર્વશીબેન,શ્રી પૂનમબેન,શ્રી અમરતભાઈ,ડો.ધર્મેન્દ્રભાઈ,શ્રી જીતુભાઇ નાયક,શ્રી મહેશભાઈ,શ્રી કનુભાઈ,પૂજ્ય હેતલબેન,પૂજ્ય ડો.લંકેશબાપુ, પૂજ્ય અમૃતાનંદમાતાજી, શ્રી વિષ્ણુભાઈ ભગત,શ્રી દીને���ભાઈ,શ્રી ભુપેન્દ્રભાઈ,શ્રી બબલુભાઈ ખમાર,શ્રી કેશુભાઈ,શ્રી માણેકલાલ,શ્રી વાલાભાઈ ગજર,શ્રી દીપકભાઈ ભટ્ટ,શ્રી શેલેશભાઈ,શ્રી સંદીપભાઈ, શ્રી મયંકભાઈ,જય ભગવાન, શ્રી સરદારભાઈ,શ્રી વિનોદભાઈ,શ્રી કરશભાઈ પટેલ,શ્રી મણીભાઈ,શ્રી હસુભાઈ, શ્રી અસ્વીનભાઈ તથા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાગવત કથા,દૈવી ભાગવત કથા, રામાયણકથા, શિવકથા વગેરે કથાઓ તથા ધાર્મિકશાસ્ત્રોનો નિચોડ અને સમાજમાં ઉદ્દભવતી સમસ્યા તથા તેનું નિરાકરણ કરવાની સુખદ ચાવીઓ દ્વારા અંતરનાતાળા ખોલવા માટેની અમૂલ્ય પ્રથમ "માનવ કથા"ની શરૂઆત કરવા બદલ રાજપૂત સેવા સમિતિ વિડજ,ખોડલ ફિલ્મ્સ કડી(હર્ષદભાઈ,ભૂપતભાઈ),શાહીલ કન્ટ્રક્શન કડી(હસુભાઈ ઓડ,પ્રવિણ ભાઈ ઓડ)વગેરે દ્વારા કથાના વક્તા શ્રી ખોડાભાઈ પટેલ, પોથીના યજમાન શ્રી વિસભાઈ પટેલ,કથાના આયોજક ભુવાજી શ્રી અમરતબાપાનું ભવ્ય અભિવાદન કર્યું હતું.
કથામાં પૂજ્ય ભુવાજી શ્રી અમરતબાપાના ધર્મપત્ની સ્વ.લીલાબેનની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ ભજન રાખવામાં અવ્યાહતા. પોથીજીનું યજમાનપદ શ્રી વિસાભાઈ પટેલ તથા કથાનું મુખ્ય આયોજન શ્રી ગોગામહારાજ ધામ વિડજના પૂજ્ય ભુવાજીશ્રી અમરતબાપાએ શોભાવી તન,મન,ધનથી ઉપસ્થિત સર્વનું સેવા અભિવાદન કર્યું હતું.છેલ્લા દિવસે સર્વને ભોજન પ્રસાદ જમાડી આનંદ ઉલ્લાસ સાથે વાજતે ગાજતે કથાની પૂર્ણાહુતિ પોથીજીના યજમાન શ્રી રજનીકભાઈ પટેલના ધરે પૂજન કરાવી આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે રાજપૂત સેવા સમિતિ તથા સમગ્ર વિડજગામના અઢારે વરણના લોકોએ નાત જાતના ભેદભાવ ભૂલી સુંદર સહિયોગ આપ્યો હતો.શ્રી એમ.એન.પટેલ પ્રા. શાળાના સ્ટાફમિત્રો અને સંગીત વૃંદના સર્વ સભ્યોએ સુંદર સહયોગ આપ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)
Read the full article
0 notes
સરદાર વલ્લભ ભાઈ પટેલ ના જન્મ નો ઇતિહાસ... લક્ષ્મીનારાયણ દેવ ની કૃપા થી એવો વીર અને લોખંડી પુરુષ નો જન્મ થયો કે જેને ભારત દેશ ને અખંડ બનાવ્યો.. આવો જાણીએ આ અદ્ભુત ઇતિહાસ અને આપણે પણ આપણ ને જે દેવ મળ્યા છે એનો વિશેષ પ્રત્યક્ષ મહિમા સમજી આપણે પણ કાંઈક એવું પ્રણ લઈએ અને આજથીજ એનો પ્રારંભ કરીએ જેનાથી આપણો પરિવાર આપણો સમાજ અને આપણો દેશ વિશ્વ મા શ્રેષ્ઠ કક્ષા એ પોહચે. 🇮🇳જય હિંદ જય ભારત 🇮🇳 આ વીડિયો બીજા હરિભક્તો ને પણ ખાસ વધુ ને વધુ શેર કરજો અને લાઈક 👍કરવાનું ના ભૂલતા..🙌 🌹।। જય શ્રી સ્વામિનારાયણ ।।🧡 by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
દેવ ઓરમ કોમ્પલેક્સના 8માં માળે આગ, 3 બેભાન લોકોમાં એક ગંભીર, વિદેશી સહિત 100ને બચાવ્યા
દેવ ઓરમ કોમ્પલેક્સના 8માં માળે આગ, 3 બેભાન લોકોમાં એક ગંભીર, વિદેશી સહિત 100ને બચાવ્યા
અમદાવાદ:શહેરના આનંદનગરમાં હરણી સર્કલ પાસે આવેલા દેવઓરમ કોમપ્લેક્સના 8મા માળે ભીષણ આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ 12 ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે આગ લાગેલા ફ્લોર પરથી એક યુગાન્ડાના નાગરિક સહિત 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ધુમાડાને પગલેમોનિકા પટેલ(ઉ.વ. 37),નિતા ચાવડા(ઉ.વ. 27) અને વિજેન્દ્ર પંચાલ (ઉ.વ.28)નો બેભાન થયા હતાં. જેમાં વિજેન્દ્ર…
View On WordPress
0 notes
હોલ ઑફ ફેમ કપિલ
(હર્ષિદ પટેલ દ્વારા) લીજેન્ડ્સ કલબ 'હોલ ઓફ ફેમ' માં કપિલ દેવ સામેલ *ભારતની િવશ્વકપ િવજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ 'હોલ ઓફ ફેમ' માં સામેલ *કપિલ દેવ દેશના સવઁશ્ેષ્ટ ઓલરાઉન્ડર મનાય છે. * કપિલ દેવ સન્માન મેળવનાર બીજા ભારતીય *આ પહેલા સુનીલ ગાવસ્કરને ૧૧ જુલાઈ ૨૦૧૩મા સન્માનિત કરાયા હતા.
0 notes
દેવ પટેલ હવે નિર્દેશન કરશે https://ift.tt/2GWh6My
0 notes
કોંગ્રેસ સત્તા પર આવશે તો, કન્યાને સેનેટરી નેપકીન ફ્રી : પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય પ્રમુખ સુષ્મિતા દેવ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી હતી કે, જો કોંગ્રેસની સરકાર બનશે અને કોંગ્રેસ સત્તા પર આવશે તો, ગુજરાતમાં પ્રાથમિક થી લઇ ઉચ્ચ શ��ક્ષણ સુધી કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તો કન્યાઓને સેનેટરી નેપકીન પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. આ સિવાય ભાજપના રાજમાં કથળી ગયેલી મહિલા સુરક્ષા કોંગ્રેસના શાસનમાં વધુ સુરક્ષિત અને સુદ્રઢ બનાવાશે અને ૩૩ ટકા મહિલા અનામતનો પણ વાસ્તવિક અમલ કરાશે. કોંગ્રેસની આ બંને મહિલા આગેવાનો પ્રિયંકા ચતુર્વેદી અને સુષ્મિતા દેવએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં મહિલાઓની હાલત કફોડી બની ગઇ છે. મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. વડાપ્રધાન મોદી એક બાજુ, બેટી બચાવો, બેટી બઢાવોનું સૂત્ર આપી રહ્યા છે ત્યારે બીજીબાજુ, સરકાર દ્વારા માત્ર રૂ.૧૦૦ કરોડનું જ બજેટ આ માટે ફાળવાયું છે. એટલે કે, એક છોકરી પાછળ માત્ર રૂ.૧.૨૫ ફાળવી કન્યાઓની મશ્કરી થઇ છે. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થતાં કન્યાઓની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસની સરકાર શિક્ષણમાં પ્રવેશેલા ખાનગીકરણનો અંત લાવશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય પ્રમુખ સુષ્મિતા દેવએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ ભાજપ મહિલા સશકિતકરણી વાતો કરે છે અને બીજીબાજુ, નલિયાકાંડ જેવી ઘટનાઓમાં ભાજપના આગેવાનો જ સંડોવાયેલા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન સેવી રહ્યા છે. ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા ત્યારે ભાજપ પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું ગૌરવ લેતા હતા તો, ભાજપે કેમ તેમના આ મુખ્યમંત્રીને દૂર કરવા પડયા તે વિશે કેમ ભાજપ બોલતી નથી. ભાજપની બધી વાતો બે મોંઢાની હોય છે. ગુજરાતમાં ૩૩ ટકા મહિલા અનામતનો પણ વાસ્તવિક અમલ ભાજપના શાસનમાં થયો જ નથી. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા જોખમાઇ છે ત્યારે હવે મહિલા વર્ગ પણ ભાજપના અસલી ચહેરાથી પરિચિત થઇ ગઇ છે અને તેથી ગુજરાતની જનતાનો બદલાયેલો મિજાજ આ વખતે કોંગ્રેસની સરકાર લાવશે.
0 notes