Tumgik
#મફક
gujarat-news · 3 years
Text
અમદાવાદઃ માતેલા સાંઢની માફક દોડતી એસ.ટી. બસે યુવકનો ભોગ લીધો, Gujarat -News
અમદાવાદઃ માતેલા સાંઢની માફક દોડતી એસ.ટી. બસે યુવકનો ભોગ લીધો, Gujarat -News
અમદાવાદઃ માતેલા સાંઢની માફક દોડતી એસ.ટી. બસે યુવકનો ભોગ લીધો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ટ્રાફિકથી ધમધમતા બહેરામપુરામાં એસટી બસ પૂર ઝડપે આવતી હતી– બાઇકને ટક્કર વાગતા યુવક ફૂટબોલની માફક ફંગોળી એસટીબસના ટાયર નીચે આવી ગયો  અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકથી ધમધતા માર્ગ પર બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. બહેરામપુરા પોલીસ…
Tumblr media
View On WordPress
0 notes
winjoyworld · 5 years
Text
Replicated or not ? Yes , you can ....
યહૂદીઓની સફળતાનું સકસેસ મંત્ર
માર્ક જુકરબર્ગ (ફેસબુકનાં CEO અને સ્થાપક),
લેરી પેજ (આલ્ફાબેટના CEO અને ગુગલનાં સ્થાપક),
સેર્ગેય બ્રિન (આલ્ફાબેટના President અને ગુગલનાં સ્થાપક),
આલ્બર્ટ આઇનસ્ટાઈન (પ્રખ્યાત નોબેલ પારિતોષક વિજેતા વિજ્ઞાની),
નીલ્સ બોહર (પ્રખ્યાત નોબેલ પારિતોષક વિજેતા વિજ્ઞાની),
રિચાર્ડ ફેનમેન (પ્રખ્યાત નોબેલ પારિતોષક વિજેતા વિજ્ઞાની),
લેરી એલ્લિસન (ઑરેકલનાં સ્થાપક),
મિચેલ ડેલ (ડેલ કંપનીનાં CEO અને સ્થાપક)
રોબર્ટ ડોનીયલ જૂનીયર(ઍક્ટર),
ટર્વિસ કલનિક (ઉબેર નાં સ્થાપક),
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા જ નામોમાં એક સામ્યતા છે! તેઓ બધાનું એક સિક્રેટ સકસેસ છે.!! હા, અને એ છે તેમનો ધર્મ…”યહુદી” (ઇસાઈ ધર્મનાં સ્થાપક ઇશુ ખ્રીસ્ત પણ જન્મે યહૂદી હતા..!)
આ બધાજ વ્યક્તિઓ અને બીજા ઘણા બધા પ્રખ્યાત લોકો ‘યહૂદી’ ધર્મ આપનાવે છે ! વિજ્ઞાન માટેનું શ્રેષ્ઠ પુરસ્કાર, નોબેલ પારિતોષક, લગભગ 800 લોકોને વ્યક્તિગત રીતે એનાયત થયું છે, જેમાંથી 20% યાહૂદીઓ જ છે! અને મુળ આશ્ચર્ય કારક વાતતો એ છે કે, યહૂદીઓ વિશ્વની કુલ વસ્તીનાં માત્ર 0.2% જ છે…! ફોબર્સ મેગૅઝીનનાં આંકડા મુજબ, અમેરિકાનાં 400 અબજોપતિઓ માંથી 100 યાહૂદીઓ છે !
ખુબજ ઓછી વસ્તી અને છતાં પણ આટલી બહોળી સંખ્યામાં સફળ વ્યક્તિઓની લિસ્ટ ધરાવતા આ ધર્મનાં લોકો પાસે એવું તે ક્યું વરદાન હશે કે તેઓ આટલા સફળ છે..?ચાલો આજે આ વિશેનાં તર્ક અને વિજ્ઞાનને જણવાનો પ્રયત્ન કરીએ…
યહૂદી દેશોમાં લગભગ 3 વર્ષ સેવાઓ બજાવ્યા બાદ ડૉક્ટર સ્ટેફન કેર લિયોનને તો આ વિષયમાં એટલો રસ પડ્યો કે, તેમણે લગભગ આઠ વર્ષ સુધી યહૂદીઓના ધર્મ, રહેણી, સંસ્કૃતિ વગેરે પર રીસર્ચ કર્યુ ! ચાલો, તેમનાં જ શબ્દોનો ભાવાનુવાદ જોઈએ…
“ઈઝરાયેલમાં મારા બીજા વર્ષ દરમિયાન મને વિચાર આવ્યો, કે શું આ ભગવાને આપેલ આમૂલ્ય ભેટ હશે ? કે માનવ સર્જીત હશે ?
મેં શરૂઆત તેમની ગર્ભાવસ્થાની શરૂઆતની તૈયારીઓ જીણવટ પૂર્વક તપાસવાથી કરી. સૌ પ્રથમ મારા ધ્યાનમાં આવ્યું, કે ઈઝરાયેલમાં ગર્ભવતી માતાઓ હંમેશા પિયાનો વગાળતી અને તેમનાં પતિ સાથે મળીને ગાણિતિક કોઇડાઓ ઉકેલવાના પ્રયત્નો કરતી. ક્યારેક હું તેમને કોયડાઓ ઉકેલવામાં મદદ કરતો અને પુછતોં કે શું તમે આ બધું તમારા ગર્ભમાંનાં બાળક માટે કરી રહ્યાં છો ? તેઓનો જવાબ કઈંક એમ આવે કે, ‘હાં બાળકને ગર્ભથી જ તૈયાર કરું છું, જેથી તે બુદ્ધીમાન બને.’ અને તેઓ જરા પણ થાક્યા વિના બાળક જન્મે ત્યાં સુધી કોઇડાઓ ઉકેલતી રહેતી !
મેં બીજી એક બાબત એ નોંધી કે, ગર્ભવતી મહિલાઓ દુધ અને બદામ ખાવનું વધારે પસંદ કરતી. બપોરે જમવમાં બ્રેડ અને માછલી (તેના માથા વિના), સલાડ અને તેની સાથે બીજા ડ્રાઈફ્રુટસ લેતી. તેઓ માને છે કે માછલી મગજનાં વિકાસ માટે ઉપયોગી છે પરંતુ, તેનું માથું મગજનાં વિકાસમાં સારું નથી. અને યહૂદી સંસ્કૃતિ મૂજબ ગર્ભવતી માતાઓએ કોડ-લીવરઓઈલ લેવું જોઈએ.
જ્યારે મને જમવા માટે આમંત્રણ હોય ત્યારે હું જોતો કે તેઓને માછલી પસંદ છે, પણ માંસ નહીં. યહૂદીઓનાં મતાનુસાર, માછલી અને માંસ એકસાથે આપણા શરીરને કઈંજ ઉપયોગમાં લગતાં નથી. સલાડ અને ડ્રાઈફ્રુટસ ખુબજ સારાં છે, ખાસ કરીને બદામ !
તેઓ ફળ-ફળાદીને જમતાં પહેલાં લેતાં. તેઓ માને છે કે, જમ્યા બાદ ફળો ખાવાથી તે આપણને નિંદ્રાળુ બનાવે છે, જેનાથી ત્યાર બાદનાં કામ કરવામાં મુશ્કેલીઓ પડે છે.
ઈઝરાયેલમાં ધુમ્રપાન નિષેધ છે. જો તમે ઈઝરાયેલનાં કોઈ ઘરનાં મહેમાન બનો અને તે ઘરમાં ધુમ્રપાન કરતાં હો, તો તેઓ નમ્રતા પૂર્વક ઘરની બહાર જઈને ધુમ્રપાન કરવાનું કહેતાં પણ શરમાતાં ન���ી ! ઈઝરાયેલની યુનિવર્સિટીનાં વૈજ્ઞાનીકોનાં મતે, નિકોટીન આપળા મગજનાં કોષોનો નાશ કરે છે અને આપળા જનીન અને DNA પર ખરાબ અસર કરે છે. તેના કારણે આવનાર પેઢીનાં મગજો ખોટ-ખાપણ વાળા આવવાની સંભાવના રહે છે. દરેક ધુમ્રપાન કરવા વાળા ચેતે..!
બાળકોનાં ખાવા-પીવા પર હંમેશા માતા-પિતાની નજર રહે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી, દરેક યહૂદી બાળકને ઓછમાં-ઓછી ત્રણ ભાષાઓ આવળવી જોઈએ, હીબૃ, અરેબીક અને અંગ્રેજી. બાળપણથી જ ફરજીયાત તેમને પિયાનો અને વાયોલીન વગાળવાની તાલીમ આપાય છે.
તેઓ માને છે કે આ પ્રકારની તાલીમ તેમના IQ વધારવામાં ઉપયોગી છે. યહૂદી વૈજ્ઞાનીકોના મતે, સંગીતનો ધ્વની મગજને ઉત્તેજે છે. તેમના બાળકોને ધોરણ- 1 થી 6 માં જ ધંધાકીય ગણિત, વિજ્ઞાન જેવા વિષયો ભણાવાય છે. હું જોવ છું કે કૅલીફોર્નીયાનાં બાળકો તેમનાથી 6 વર્ષ પાછળ છે ! માધ્યમિક શાળામાં તેમના વિજ્ઞાનનાં આભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરાય છે.
તેઓને પ્રોજેક્ટ બનાવાનું કહેવાય છે (પછી ભલે તે હસ્યાસ્પદ અને નકામા હોય). પરંતુ દરેકની ગંભીરતાથી નોંધ લેવાય છે, ખાસ કરીને શસ્ત્ર, મેડીકલ અને એન્જીનિયરીંગને લગતા પ્રોજેક્ટ પર. વ્યાપારીક આભ્યાસો (BBA, MBA)નાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપાય છે. અને તેમને ત્યારે ત્યારે જ પાસ કરાય છે જ્યારે તેમનું જૂથ (એકંદરે 10 વિદ્યાર્થીનું) દશ-લાખ US-ડોલરનો નફો આપે! અને કદાચ એટલે જ દૂનીયાના અડધો-અડધ ધંધા યહૂદીઓના જ છે.. (ફેસબુક,ગુગલ,ઉબેર પણ યહૂદીઓ એજ બનાવ્યાને…!!)
શું તમે ક્યારેય તેઓને પ્રાર્થના કરતાં જોયાં છે? તેઓ પોતાનું મસ્તક હલાવીને ને પ્રાર્થના કરે છે (જેમ ઈસ્લામમાં કરવામાં આવે છે..) તેઓ માને છે કે આમ કરવાથી મગજને વધુ ઑક્સિજન મળે છે. જાપાનીઓને જુવો.. તેઓ પણ તેમની સંસ્કૃતિ મુજબ શીષ જૂકાવે છે. અને તેમનામાં ઘણા બુદ્ધિમાન લોકો છે. તેઓ પણ માછલીઓ ખાવું પસંદ કરે છે. શું આ બધું માત્ર સંયોગ કારક હશે ?
મારા થીસીસમાં, હું કોઇ ધર્મ કે કોઇ રેસમાં પડવા નથી માંગતો. શા માટે હિટલર યહૂદીઓથી નફરત કરતો.. એ બધું રાજકારણનો વિષય છે. મારા માટે આ સંસોધન એ બધાથી પર છે.
અંતે એક વિચાર : શું આપણે પણ યહૂદીઓની મફક બુદ્ધિમાન પેઢી વિકસાવી શકીએ?
તેનો જવાબ છે હા..!
આપણે આપણી રોજબરોજની ટેવો બદલવી પડશે, આપણો ખોરાક બદલવો પડશે. લગભગ ત્રીજી પેઢી તેટલી જ હોંશીયાર બનશે. દાખલા તરીકે, મારો નવ વર્ષનો પૌત્ર “શા માટે મને ટમેટા ગમે છે?” વિષય પર પાંચ પેજનો નિબંધ લખી શકે છે!
આપણે બધાંજ માનવ જાતિ માટે બુદ્ધિમાન પેઢીનું શાંતિ અને સફળતા પૂર્વક નિર્માણ કરી શકીએ છીએ, તમે કોણ છો તેનાંથી કંઈજ ફરક નથી પડતો…!”
ખરેખર ડૉ. સ્ટેફનના રિસર્ચ પર વિચાર કર્યાં જેવો છે. જો વાતને બીજી કોઈપણ દ્રષ્ટીએ જોયા વીના સંપુર્ણ પોઝીટીવ રીતે લઈએ તો એક સુંદર દુનિયા બની શકે તેમ છે. અને આમ પણ, ભારતની મહામુલી સંસ્કૃતિ મુજબ આવી દરેક સારી વસ્તુઓને સ્વીકારી, તેનો ઉપયોગ કરવો જોઇએ
0 notes
gujarat-news · 4 years
Text
કોરોના યર : પોલીસને 'દંડાવાળી' કરતાં 'દંડવાળી' સફર માફક આવી
કોરોના યર : પોલીસને 'દંડાવાળી' કરતાં 'દંડવાળી' સફર માફક આવી
જનતા કરફ્યૂમાં દંડાવાળી પછી દંડ વસૂલાતમાં પોલીસ પર હુમલાનો વિવાદ સરકારી તિજોરીમાં કોરોના દંડની 115 કરોડની ધરખમ આવક પ્રજા માટે જાણે દાઝ્યા પર ડામ અમદાવાદ : ભૂલવા જેવા કોરોના યરને રિવાઈન્ડ કરવામાં આવે તો પોલીસને દંડાવાળીથી દંડવાળી કર્યાની સફળ યાદ આવી જાય છે. હવે, કોરોના વેક્સિન લઈ ચૂકેલાં પોલીસ અિધકારીઓ અને કર્મચારીઓ કોરોના અંગેની ચર્ચા કરે છે અને વિતેલા વર્ષ દરમિયાનની ગતિવિિધઓ યાદ કરે છે. વર્ષ…
Tumblr media
View On WordPress
0 notes