Tumgik
#૧૮૨
gujarat-news · 3 years
Text
એર કવોલીટી ઈમ્પ્રુવ મેનેજમેન્ટ પ્રોજેકટ હેઠળ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા પાંચ વર્ષમાં ૧૮૨ કરોડનો ખર્ચ કરાશે, Gujarat -News
એર કવોલીટી ઈમ્પ્રુવ મેનેજમેન્ટ પ્રોજેકટ હેઠળ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા પાંચ વર્ષમાં ૧૮૨ કરોડનો ખર્ચ કરાશે, Gujarat -News
એર કવોલીટી ઈમ્પ્રુવ મેનેજમેન્ટ પ્રોજેકટ હેઠળ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા પાંચ વર્ષમાં ૧૮૨ કરોડનો ખર્ચ કરાશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,બુધવાર,11 ઓગસ્ટ,2021 અમદાવાદ શહેરમાં વધતી જતી હવાના પ્રદૂષણની સમસ્યાને નિયંત્રણમાં લેવા એર કવોલીટી ઈમ્પ્રુવ મેનેજમેન્ટ પ્રોજેકટ હેઠળ આગામી પાંચ વર્ષમાં રુપિયા ૧૮૨ કરોડની રકમનો ખર્ચ કરવામાં આવશે.પ્રદૂષણ…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 2 years
Text
એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૯૮ રૂપિયા ઘટાડો કરાયો
Tumblr media
એલપીજી સિલેન્ડર આજથી ૧૯૮ રૂપિયા સસ્તુ થઈ ગયો છે. પરંતુ ભાવમાં ઘટાડો માત્ર કમર્શિયલ સિલિન્ડર પર જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મધ્ય રાત્રિએ આજના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ચાર મહાનગરમાં એલપીજીના કમર્શિયલ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો ઈન્ડેન કંપનીનુ સિલિન્ડર આજથી દિલ્હીમાં ૧૯૮ રૂપિયા સસ્તુ થઈ ગયુ છે. કોલકાત્તામાં ૧૮૨ રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં ૧૯૦.૫૨ રૂપિયા, જ્યારે કે ચેન્નાઈમાં તેમાં ૧૮૭ રૂપિયાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને નવો ભાવ જાહેર કર્યો છે. જ્યારે કે ઘરેલ એલપીજી સિલિન્ડરમાં હાલ ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. તેઓને પહેલાની જ જેમ જ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, ૧૪.૨ કિલોવાળા ઘરેલુ સિલેન્ડર ન તો સસ્તો થયો છે, ન તો મોંઘો થયો છે. આજે પણ પણ ૧૯ મેના જૂના ભાવ પર જ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂનમાં ઈન્ડેનનો કમર્શિયલ સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કે મે મહિનામાં ગેસના બોટલના ભાવ વધતા ગ્રાહકોને બે વાર ઝટકો લાગ્યો હતો. ગેસનો બોટલનો ભાવ મહિનામાં પહેલીવાર ૭ મેના રોજ ૫૦ રૂપિયા વધારવામાં આવ્યો હતો અને ૧૯ મેના રોજ ગેસનો બોટલના ભાવમાં વધારો થયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં ગત એક વર્ષથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૩૪.૫૦ રૂપિયાથી વધીને ૧૦૦૩ રૂપિયા પહોંચી ગયો છે. ૧૯ મે, ૨૦૨૨ ના રોજ અંતે ૧૪.૨ કિલો ઘરેલુ એલપીજી સિલિન્ટરનો રેટ ૪ રૂપિયા વધારવામાં આવ્યો હતો. આ પહેલા ૭ મેના રોજ ભાવ ૯૯૯.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. ૨૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ ૯૪૯.૫૦ રૂપિયાની સરખામણીમાં ૭ મેના રોજ એલપીજી સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘો થયો હતો. Read the full article
0 notes
adimsandesh · 4 years
Text
પંચમહાલ : શહેરા તાલુકાના ૧૮૨ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત લાભ અપાયો - Oneindia Gujarati
પંચમહાલ : શહેરા તાલુકાના ૧૮૨ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત લાભ અપાયો – Oneindia Gujarati
[ad_1]
By : Oneindia Video Team
Published : November 03, 2020, 09:15
Duration : 02:22
Tumblr media
02:22
પંચમહાલ : શહેરા તાલુકાના ૧૮૨ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત લાભ અપાયો
[ad_2] Source link
View On WordPress
0 notes
Text
Tumblr media
ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ વિશ્વનાં ૧૦૦ જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાનાં ૧૦૦ સર્વોત્તમ સ્થળોની યાદીમાં વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. ટાઈમ મેગેઝિન દ્વારા હાલમાં જાહેર કરાયેલા ૧૦૦ ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ ૨૦૧૯માં પ્રધાનમંત્રી Narendra Modi નાં વિઝન-મિશનથી નિર્મિત અને મુખ્યમંત્રી Vijay Rupani નાં ગાઈડેન્શથી નર્મદાના કેવડિયા કોલોની સ્થિત ૧૮૨ મીટર વિશ્વની સૌથી મહાન પ્રતિભાની સૌથી ઊંચી પ્રતિમાને સ્થાન મળતા ભારતનું નામ વિશ્વભરમાં રોશન થઈ સરદાર વલ્લભભાઈ પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે અને ગુજરાતની પ્રસિદ્ધિમાં પણ વધારો થયો છે. #StatueOfUnity
0 notes
khabarconnect · 5 years
Text
375 એકરનો કેવડીયા જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ તસવીરો
375 એકરનો કેવડીયા જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ તસવીરો
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક: (નિરવ જોશી)
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન આશાસ્પદ પ્રોજેક્ટ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (કેવડીયા જંગલ સફારી પાર્ક ) સેન્ટ્રલ ઓથોરીટી, નવી દિલ્હીની મંજૂરી બાદ ૧૮ મી ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
પ્રથમ…
View On WordPress
0 notes
lovejalpaposts · 6 years
Link
રૂપિયા સામે ડોલર ૩૯ પૈસા વધીને રૂ.૭૦.૮૫  : ફિચ રેટીંગ એજન્સીએ ભારતના આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડયો
Tumblr media
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,તા. 6 ડિસેમ્બર 2018, ગુરૂવાર
વૈશ્વિક આર્થિક મોટી મંદીના એંધાણ વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેર બજારોમાં પણ એકથી વધુ નેગેટીવ પરિબળો વચ્ચે સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ યથાવત રાખ્યા સાથે ફુગાવાનો અંદાજ ઘટાડીને મૂક્યાને પોઝિટીવને બદલે બજારે નેગેટીવ લેખીને આગામી સમય અર્થતંત્ર માટે પડકારરૂપ નીવડવાના અને નીચો ફુગાવો અને નીચા ક્રુડના ઓઈલના ભાવ ડિફલેશન-મંદીનો સંકેત હોવાના નિષ્કર્ષને પરિણામે અને પાંચ રાજયોની ચૂંટણીઓ પૂરી થવામાં છે, ત્યારે આ ચૂંટણીના ૧૧,ડિસેમ્બરના જાહેર થનારા પરિણામોમાં અપસેટ સર્જાવાના અમુક વર્ગના અનુમાન વચ્ચે આજે ફંડોએ શેરોમાં સાર્વત્રિક ઓફલોડિંગ કર્યું હતું. એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની ગઈકાલે શેરોમાં કેશ અને ફયુચર્સમાં મળીને કુલ રૂ.૨૩૬૫ કરોડની જંગી વેચવાલીના આંકડા બાદ આજે ફરી મોટું સેલીંગ કર્યા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી નબળો પડીને આજે ૪૪ પૈસા તૂટીને રૂ.૭૦.૯૦ થઈ જતાં નેગેટીવ અસરે શેરોમાં હેમરીંગ વધતું જોવાયું હતું. યુરોપના બજારોમાં આજે કડાકા સાથે ફેબુ્રઆરી બાદની બે  વર્ષની નીચી સપાટીએ આવી જતાં અને એશીયાના બજારોમાં પણ નરમાઈ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય  ભાવ ઓપેક અને નોન-ઓપેક દેશોની મીટિંગ પૂર્વે રશીયા પર નજર વચ્ચે ક્રુડના ભાવ બ્રેન્ટ ૬૦ ડોલરની અંદર ઊતરી જતાં અને નાયમેક્ષ ૫૧ ડોલરની નજીક આવી જતાં વૈશ્વિક મંદીના સંકેત વચ્ચે ફંડોનું શેરોમાં બેંકિંગ, ઓટોમોબાઈલ, એફએમસીજી, આઈટી શેરોમાં ઓફલોડિંગ થતાં સેન્સેક્સ ૫૭૨.૨૮ પોઈન્ટ તૂટીને ૩૫૩૧૨.૧૩ અને નિફટી સ્પોટ ૧૮૧.૭૫ પોઈન્ટ ગબડીને ૧૦,૬૦૧.૧૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૩૫૦૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં : નીચામાં ૩૫૨૬૬ સુધી આવી અંતે ૫૭૨ પોઈન્ટ તૂટીને ૩૫૩૧૨
ફીચ રેટીંગ એજન્સીએ ભારતના આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડતાં અને વૈશ્વિક બજારોની મંદીએ ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે રેપો રેટ જાળવી રાખ્યા સાથે ફુગાવાનો અંદાજ ઘટાડીને મૂકયા સાથે રીટેલ અને એમએસઈ લોનોને એમસીએલઆરને બદલે એક્સટર્નલ બેન્ચમાર્કસ સાથે લિન્ક કરવાનું સૂચવીને બેંકોની લોન પ્રોડ્ક્ટસમાં પારદર્શકતા લાવવાનું નક્કી કરતાં બેંકિંગ શેરોમાં યશ બેંક, કોટક બેંક, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં ઓફલોડિંગે અને ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ ડીવીઆર, ટાટા મોટર્સમાં હેમરીંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટસ, ભારતી એરટેલ, એશીયન પેઈન્ટસ, ઓએનજીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ સહિતમાં વેચવાલીએ એક તબક્કે સેન્સેક્સ ૬૨૧.૬૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૫૨૬૬.૭૬ સુધી આવી અંતે ૫૭૨.૨૮ પોઈન્ટ ગબડીને ૩૫૩૧૨.૧૩ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઈ���્ટ્રા-ડે ૧૦૬૦૦ની સપાટી ગુમાવી ૧૦૫૮૮ સુધી ખાબકી અંતે ૧૮૨ પોઈન્ટ તૂટીને ૧૦૬૦૧
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્સ આગલા બંધ ૧૦૭૮૨.૯૦ સામે ૧૦૭૧૮.૧૫ મથાળે ખુલીને આરંભથી જ નરમાઈમાં બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સીસ બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, અદાણી પોર્ટસમાં વેચવાલી સાથે ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, આઈશર મોટર્સમાં હેમરીંગ થતાં અને આઈટી શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતમાં વેચવાલીએ અને ઓઈલ-ગેસ શેરોમાં આઈઓસી, ઓએનજીસી તેમ જ ગ્રાસીમ, હિન્દુસ્તાન યુનિલિવર, એશીયન પેઈન્ટસ સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૧૦૬૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૧૦૫૮૮.૨૫ સુધી આવી અંતે ૧૮૧.૭૫ પોઈન્ટ તૂટીને ૧૦૬૦૧.૧૫ બંધ રહ્યો હતો.
નિફટી ડિસેમ્બર ફયુચર ૧૦,૮૨૭ થી તૂટીને ૧૦,૬૧૯ : બેંક નિફટી ફયુચર ૨૬,૬૪૩ થી તૂટીને ૨૬,૨૮૮
ડેરિવેટીવ્ઝમાં આજે નિફટી બેઝડ મોટો કડાકો બોલાવી દઈને ફંડોએ મંદીનો મોટો  વેપાર કર્યાની ચર્ચા હતી. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૫૦,૨૬૬ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૦૪૦.૮૨ કરોડના કામકાજે ૧૦,૮૨૭.૬૫ સામે ૧૦,૭૫૦.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૭૫૪.૪૦ સુધી પહોંચી પાછો ફરીને નીચામાં ૧૦,૬૧૧.૭૦ સુધી ખાબકી અંતે ૧૦,૬૧૯.૮૦ રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૬૧,૭૭૮ કોન્ટ્રેકટસમાં રૂ.૮૫૧૮.૧૨ કરોડના કામકાજે ૨૬,૬૪૩.૮૦ સામે ૨૬,૪૮૫.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૬૪૯૪.૪૦ થઈ તૂટીને નીચામાં ૨૬,૨૩૪.૧૦ સુધી આવી અંતે ૨૬,૨૮૮.૨૫ રહ્યો હતો. નિફટી ૧૦,૯૦૦નો કોલ ૯૮,૧૪૭ કોન્ટ્રેકટસમાં રૂ.૮૦૮૮.૦૮ કરોડના કામકાજે ૧૪૩.૧૦ સામે ૧૨૮.૪૫ મથાળે ખુલીને નીચામાં ૬૪.૭૦ સુધી આવી અંતે અંતે ૬૫.૫૦ રહ્યો હતો.
નિફટી ૧૧,૦૦૦નો કોલ ૯૮.૮૫ થી તૂટીને ૪૨.૫૦ : નિફટી ૧૦,૫૦૦નો કોલ ૭૯.૬૦ થી ઉછળીને ૧૪૦
નિફટી ૧૧,૦૦૦નો કોલ ૧,૩૩,૯૪૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૧૦૮.૨૦ કરોડના કામકાજે ૯૮.૮૫ સામે ૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૭૬.૫૫ થઈ તૂટીને ૪૨.૪૫ સુધી આવી અંતે ૪૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો કોલ ૯૮,૯૫૫ કોન્ટ્રેકટસમાં રૂ.૭૮૮૦.૯૭ કરોડના કામકાજે ૭૯.૬૦ સામે ૯૯.૪૦ મથાળે ખુલીને નીચામાં ૯૨.૭૫ થઈ ઉછળીને ૧૪૧.૫૦ સુધી પહોંચી અંતે ૧૪૦ રહ્યો હતો. નિફટી ૧૦,૮૦૦નો કોલ ૧૯૬.૫૦ સામે ૧૪૫.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૮.૬૫ થઈ તૂટીને ૯૬.૮૦ સુધી આવી અંતે ૯૮.૭૫ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો કોલ ૬૪.૧૫ સામે ૪૪.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૪૮.૩૫ થઈ તૂટીને ૨૫.૯૦ સુધી આવી અંતે ૨૬ રહ્યો હતો. નિફટી ૧૦,૦૦૦નો પુટ ૧૯.૮૫ સામે ૨૨.૦૫ મથાળે ખુલીને નીચામાં ૨૨.૦૫ થી ઉપરમાં ૩૫.૯૫ સુધી ઉછળી અંતે ૩૫.૯૫ રહ્યો હતો.
ઓટો શેરોમાં ગાબડાં : મારૂતી રૂ.૩૫૦ પટકાઈ રૂ.૭૨૦૯ : ટીવીએસ મોટર, બાલક્રિષ્ન, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, તૂટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે મોટાપાયે ધોવાણ થયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૬૦ ડોલરની સપાટી તોડી જઈ ૫૯ ડોલર નજીક આવી જતાં અને નાયમેક્ષ ક્રુડ ૫૧ ડોલર નજીક આવી જવા છતાં રૂપિયા સામે ડોલરની ફરી મજબૂતીએ પેટ્રોલ, ડિઝલનો ભાવ ઘટાડો અટકતાં અને વાહનોના વેચાણમાં મોટા ઘટાડાના સંકેત વચ્ચે આજે ફંડોનું ઓટો શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૫૭.૯૮ પોઈન્ટ તૂટીને ૧૯૮૨૪.૧૮ બંધ રહ્યો હતો. મારૂતી સુઝુકી દ્વારા કાચામાલના ખર્ચને લઈને વાહનોના ભાવમાં વધારો જાહેર કર્યાની સતત નેગેટીવ અસરે શેરમાં ફંડોના હેમરીંગે રૂ.૩૪૯.૮૫ તૂટીને રૂ.૭૨૦૯.૭૦ રહ્યો હતો. ટીવીએસ મોટર રૂ.૨૩.૧૫ તૂટીને રૂ.૫૩૧.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૮.૨૦ તૂટીને રૂ.૮૯૬.૮૦, ટાટા મોટર્સ રૂ.૬.૮૦ તૂટીને રૂ.૧૬૨.૪૦, આઈશર મોટર્સ રૂ.૫૨૮.૫૫ તૂટીને રૂ.૨૨,૨૯૫.૦૫, અશોક લેલેન્ડ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૦૧.૯૦, બજાજ ઓટો રૂ.૪૨.૮૫ ઘટીને રૂ.૨૭૧૯.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૩૭.૭૦ ઘટીને રૂ.૩૦૧૭.૪૦, અપોલો ટાયર રૂ.૨.૮૦ ઘટીને રૂ.૨૨૫.૨૦, ભારત ફોર્જ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૫૨૬.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬.૭૦ ઘટીને રૂ.૭૧૦.૯૦, એમઆરએફ રૂ.૪૨૫.૪૦ ઘટીને રૂ.૬૪,૭૬૨.૮૦, એકસાઈડ રૂ.૨.૨૦ ઘટીને રૂ.૨૫૧.૧૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ : પીએનબી, યશ બેંક, કોટક બેંક, એક્સીસ, બીઓબી, ઈન્ડિયાબુલ્સ, મૂથુટ ફાઈ., ઈક્વિટાસ  ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની વ્યાપક વેચવાલી રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે રેપો રેટ જાળવી રાખ્યા સાથે ફુગાવાનો અંદાજ ઘટાડીને મૂકયા સાથે રીટેલ અને એમએસઈ લોનોને એમસીએલઆરને બદલે એક્સટર્નલ બેન્ચમાર્કસ સાથે લિન્ક કરવાનું સૂચવીને બેંકોની લોન પ્રોડ્ક્ટસમાં પારદર્શકતા લાવવાનું નક્કી કરતાં બેંકિંગ શેરોમાં પીએનબી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૬૬.૧૦, યશ બેંક રૂ.૫.૩૫ ઘટીને રૂ.૧૬૮.૩૦, કોટક બેંક રૂ.૨૯.૮૦ ઘટીને રૂ.૧૧૮૧.૫૦, એક્સીસ બેંક રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૬૦૦.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૦૫.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૩.૭૦ ઘટીને રૂ.૧૫૬૯.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૭૫.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૫૫ ઘટીને રૂ.૩૪૭.૫૫, એચડીએફસી બેંક રૂ.૫.૩૫ ઘટીને રૂ.૨૦૯૪.૧૦ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં કેપિટલ ટ્રસ્ટ રૂ.૨૨.૧૫ તૂટીને રૂ.૨૨૬.૦૫, મૂથુટ ફાઈનાન્સ રૂ.૩૧.૮૦ તૂટીને રૂ.૪૧૫.૯૦, ઈક્વિટાસ રૂ.૭ ઘટીને રૂ.૧૧૧.૫૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૩.૭૦ તૂટીને રૂ.૭૩૨.૧૦, શ્રેઈ ઈન્ફ્રા ફાઈનાન્સ રૂ.૧.૫૫ ઘટીને રૂ.૩૦.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૮.૪૦ તૂટીને રૂ.૪૦૨.૨૫, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૭૯.૫૦ રહ્યા હતા.
ડોલર ૪૪ પૈસા મજબૂત બન્યા છતાં આઈટી શેરોમાં ધોવાણ : ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ ઘટયા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૪૪ પૈસા વધીને રૂ.૭૦.૯૦ થઈ જવા છતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ કંપનીઓના નબળા પરિણામો��ી આશંકાએ ફંડોની વેચવાલી રહી હતી. ટેક મહિન્દ્રા રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૬૯૭.૫૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૯.૩૦ ઘટીને રૂ.૧૦૧૧.૯૫, ઈન્ફોસીસ રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૬૬૮.૨૦ રહ્યા હતા.
ક્રુડ બ્રેન્ટ તૂટીને ફરી ૬૦ ડોલરની અંદર : આઈઓસી, રિલાયન્સ, ઓએનજીસી, બીપીસીએલ, ઓઈલ, એચપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક અને નોન-ઓપેક દેશોની આજે વિએના ખાતે મળનારી મીટિંગ પૂર્વે રશીયા પર નજર વચ્ચે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૦ ડોલરની સપાટી ગુમાવી દેવા છતાં વૈશ્વિક મંદીના એંધાણ વચ્ચે ઓઈલ શેરોમાં નરમાઈ રહી હતી. આઈઓસી રૂ.૩.૯૫ ઘટીને રૂ.૧૩૦.૩૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧.૪૦ ઘટીને રૂ.૧૧૨૩.૪૫, ઓએનજીસી રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૪૦.૧૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૮૦.૬૫, બીપીસીએલ રૂ.૪ ઘટીને રૂ.૩૨૪.૮૦, એચપીસીએલ રૂ.૧.૬૦ ઘટીને રૂ.૨૨૪.૯૦ રહ્યા હતા. 
એફએમસીજી શેરોમાં બ્રિટાનીયા, હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ, પરાગ મિલ્ક,એડીએફ ફૂડ, ક્વોલિટી, ડીએફએમ તૂટયા
એફએમસીજી શેરોમાં પણ આજે ફંડોની વ્યાપક વેચવાલી રહી હતી. ડીએફએમ રૂ.૧૩.૭૫ તૂટીને રૂ.૨૦૭.૨૫, ક્વોલિટી રૂ.૯.૧૦, એડીએફ ફૂડ રૂ.૧૧.૧૦ તૂટીને રૂ.૨૫૯.૧૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૬.૭૫ ઘટીને રૂ.૧૭૩.૩૦, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૪.૦૫ તૂટીને રૂ.૨૯૮૮.૪૫, દાવત રૂ.૧.૩૫ ઘટીને રૂ.૪૨.૭૦, દ્વારકેશ સુગર રૂ.૨૨.૧૫, કોલગેટ રૂ.૩૫.૪૦ ઘટીને રૂ.૧૧૯૨.૩૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૪૫.૨૦ ઘટીને રૂ.૧૮૦૦.૪૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૮૦.૨૫ તૂટીને રૂ.૧૦,૩૦૪.૩૦, બજાજ કોર્પ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૩૪૫.૨૫, મેરિકો રૂ.૪.૭૦ ઘટીને રૂ.૩૫૧ રહ્યા હતા. 
 મંદીનો કડાકો : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલીએ ગાબડાં : ૧૮૪૯ શેરો નેગેટીવ : ૨૩૦ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
સેન્સેક્સ-નિ���ટી બેઝડ કડાકા સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં આજે સતત વ્યાપક વેચવાલી રહેતાં વધુ ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૯  અને વધનારની સંખ્યા ૭૦૭ રહી હતી. ૨૩૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની ફયુચર્સમાં રૂ.૨૭૬૯  કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૭૨.૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૫૨૯.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૫૭.૪૫ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૭૨૨.૦૨ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૦૪૭.૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી મળીને ફયુચર્સમાં કુલ રૂ.૨૭૬૯.૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૮૯.૭૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૮૯૩.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૮૨.૯૯ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૨.૨૭ લાખ કરોડ ઘટીને રૂ.૧૩૯.૮૮ કરોડ થયું
શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલીએ બોલાયેલા કડાકાએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિનું આજે એક દિવસમાં જ રૂ.૨.૨૭ લાખ કરોડનું ધોવાણ થઈ જઈ કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૩૯.૮૮ લાખ કરોડ થઈ ગયું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rq07ZW
0 notes
Text
Gujarat માં ભાજપ નવેમ્બર માસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે
Gujarat માં ભાજપ નવેમ્બર માસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે
Gujarat માં ભાજપાની પ્રદેશ ચૂંટણી સમિતિની ૨૧ થી ૨૬ ઓક્ટોબરથી શાંતિનિકેતન અડાલજ ખાતે ચાલતી બેઠકની પૂર્ણાહુતી થઈ છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ૧૮૨ વિધાનસભા બેઠકની સમીક્ષા હાથ ધરાઇ હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી નવેમ્બર માસમાં જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી…
View On WordPress
0 notes
rajashekarabb · 7 years
Text
Tweeted
ભાજપે વર્ષ ૨૦૧૨માં ૧૮૨ ઉમેદવારમાંથી ૪૫થી વધુ ઉમેદવારો કે જેમના પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતા, તેમને ટીકીટ આપી હતી..… https://t.co/PgF09LzFaM
— Rajashekara BB 🇮🇳 (@RajashekaraBB) October 17, 2017
0 notes
gujarat-news · 3 years
Text
વડોદરા કોર્પોેરેશન ૧૧૭ દુકાનો જાહેર હરાજી કરીને વેચાણ કરશે, Gujarat -News
વડોદરા કોર્પોેરેશન ૧૧૭ દુકાનો જાહેર હરાજી કરીને વેચાણ કરશે, Gujarat -News
વડોદરા કોર્પોેરેશન ૧૧૭ દુકાનો જાહેર હરાજી કરીને વેચાણ કરશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા :  વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાઓમા દુકાનો બનાવી છે .જુદા જુદા વિસ્તારમાં આવી ૧૮૨ દુકાનો બનાવવામાં આવી છે  . જે પૈકી બાકી રહેલી ૧૧૭ દુકાનોની જાહેર હરાજી કરવામાં આવશે. અમુક આવાસ યોજનાઓમા ફક્ત…
Tumblr media
View On WordPress
0 notes
Photo
Tumblr media
ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ વિશ્વનાં ૧૦૦ જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાનાં ૧૦૦ સર્વોત્તમ સ્થળોની યાદીમાં વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. ��ાઈમ મેગેઝિન દ્વારા હાલમાં જાહેર કરાયેલા ૧૦૦ ગ્રે��ેસ્ટ પ્લેસ ઓફ ૨૦૧૯માં પ્રધાનમંત્રી Narendra Modi નાં વિઝન-મિશનથી નિર્મિત અને મુખ્યમંત્રી Vijay Rupani નાં ગાઈડેન્શથી નર્મદાના કેવડિયા કોલોની સ્થિત ૧૮૨ મીટર વિશ્વની સૌથી મહાન પ્રતિભાની સૌથી ઊંચી પ્રતિમાને સ્થાન મળતા ભારતનું નામ વિશ્વભરમાં રોશન થઈ સરદાર વલ્લભભાઈ પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે અને ગુજરાતની પ્રસિદ્ધિમાં પણ વધારો થયો છે. #statueofunityindia https://www.instagram.com/p/B1ov9b0BQxFJ9hWCtJWdOBhXOVl-pEPWc9TnLk0/?igshid=3p7e52w17bc9
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
હિમાલયન ગ્લેશિયરથી ભયંકર આફતની શક્યતા હિમાલયન પર્વતમાળામાં ઝડપથી બદલતા વિશ્વ વાતાવરણની ખરાબ અસર થઈ રહી છે. વૈશ્વિક તાપમાનના વધારાના કારણે ખાસ્સી ઉંચાઈએ આવેલા ગ્લેશિયર પણ ધીમે ધીમે પીગળી રહ્યા છે અને તેના કારણે નવા તળાવ નિર્માણ પામી રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગત ૨ વર્ષમાં જ પીગળતા ગ્લેશિયરના કારણે ૧૧૦ જેટલા નવા તળાવ હિમાચલ પ્રદેશમાં આવેલા ઉંચા ભાગોમાં અસ્તિત્વમાં આવ્યા છે. આ કારણે હિમાચલ પ્રદેશ પર ગ્લોફ તરીકે ઓળખાતા પૂરનું સંકટ તોળાયું છે. ગ્લોફ એટલે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ, ગ્લેશિયર ઓગળવાના કારણે તૈયાર થતા તળાવમાં પાણીની માત્રા અધિકમાત્રામાં વધી જવાથી આવા તળાવ ફાટે છે જેને કારણે નીચેના પ્રદેશમાં વહેતી નદીમાં અચાનક પૂર આવે છે. નિષ્ણાંતોના મતે ખૂબ જ ઝડપથી ઓળગતા આ ગ્લેશિયરના કારણે રાવી, ચિનાબ અને વ્યાસ નદીના તટપ્રદેશમાં નવા ગ્લેશિયર તળાવ નિર્મિત થા છે. જેને નિષ્ણાંતો સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમજ નિષ્ણાંતો વિશ્લેષણ કરી રહ્યા છે કે હિમાલયની આ ઉંચાઇએ થતા ફેરફારની માનવ જીવન પર કેટલી અને કેવા પ્રકારની અસર પડી શકે ઉપરાંત આ વિસ્તારમાં વસતા માનવ જીવન માટે તે કેટલી ખતરનાક હોઈ શકે. સ્ટેટ કાઉંસિલ ફોર સાયન્સ, ટેક્નોલોજી એન્ડ એન્વાયરોમેંટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે નદિના તટપ્રદેશની ઉપરના ભાગે સતત વધતા જતા આ ગ્લેશિયર નિર્મિત તળાવોના કારણે ગ્લોફ પૂરની શક્યતા સતત વધતી જઈ રહી છે. રિપોર્ટ મુજબ ૨૦૧૩માં ચિનાબ નદિના તટપ્રદેશમાં ૧૧૬ જેટલા તળાવ હતા. જેની સંખ્યા ૨૦૧૫માં ૧૯૨ જેટલી થઈ ગઈ છે. જો ૨૦૦૧ના ડેટા સાથે આ તળાવોની સંખ્યાની તુલના કરવામાં આવે તો તેમાં ચાર ગણો વધારો થયો છે. આ ૧૯૨ તળાવોમાંથી ૪ તળાવોનું ક્ષેત્રફળ ૧૦ હેક્ટરથી પણ વધારે છે, ૬ તળાવો ૫થી ૧૦ હેક્ટર ક્ષેત્રફળ ધરાવે છે, જ્યારે અન્ય ૧૮૨ તળાવો ૫ હેક્ટર કરતા ઓછું ક્ષેત્રફળ ધરાવે છે.આ જ રીતે વ્યાસ નદીના તટપ્રદેશમાં ૨૦૧૩માં ૬૭ જેટલા તળાવ હતા. જે ૨૦૧૫માં વધીને ૮૯ સુધી પહોંચી ગયા. જ્યારે રાવી નદીમાં ૨૦૧૩ દરમિયાન ૨૨ તળાવ, ૨૦૧૫ સુધીમાં ૩૪ થઈ ગયા હતા. વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ અને તેનું વિશ્લેષણ સેટેલાઇટ દ્વારા લેવાયેલ તસવીરોના આધારે કર્યું છે. જાણકારોના કહેવા મુજબ ૨૦૧૩માં ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે આવેલ ભયાનક પૂરનું કારણ કેટલેક અંશે આ ઓગળેલા ગ્લેશિયર અને તેના કારણે તૈયાર થયેલા તળાવ જ હતા જે ભારે વરસાદના કારણે પાણી વધી જતા ફાટ્યા હતા..વિશ્ર્‌વમાં સર્વોચ્ચ શિખર ગણાતા માઉન્ટ એવરેસ્ટની આસપાસ આવેલ હિમનદીઓ છેલ્લાં ૪૦ વર્ષમાં ૨૮ ટકા પીગળી ગઈ છે, તેવા અહેવાલ પ્રસિદ્ધ થયાં છે. ચીનની ચાઈનીઝ ઍકેડેમી ઓફ સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી તથા માઉન્ટ કમૉલંગ્મા સ્નો લેપર્ડ કંઝરવેશન સેન્ટર દ્વારા સતત કરવામાં આવેલા સંશોધન બાદ દ્વારા જાણવા મળ્યું છે.હિન્દુ-કુશ હિમાલયા- તિબેટિયન વિસ્તારમાં આવેલી એશિયાની મોટી નદીઓ જેવી કે બ્રહ્મપુત્રા, ગંગા, હુઆંગ હો, ઈન્ડસ, મેકૉંગ, સાલવીન અને યાંગ્તેઝ નદીના પાણી ઉપર આશરે અઢી કરોડ લોકોનું જીવન નભતું જોવા મળે છે. હિમાલયની હિમનદીઓ પીગળતા નદીઓમાં પાણી બે તટે વહેતું રહે છે. જેને કારણે આસપાસના ગામના લોકો ખેતી અને પશુપાલનને કારણે જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે.હિમનદીનું ક્ષેત્રફળ માપવા માટે ૧૯૭૦ના વર્ષમાં કરવામાં આવેલ આકારણીનો આધાર લેવામાં આવ્યો હતો. એવરેસ્ટની દક્ષિણમાં આવેલ નેપાળ તરફ હિમનદીનું ક્ષેત્રફળ ૧૯૮૦ બાદ ૨૬ ટકા ઘટયું હોવાનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. શિખરનો મુખ્ય ભાગ પણ પચાસ વર્ષમાં પહેલાં કરતાં વધુ પીગળવા લાગ્યો છે. આધુનિક યંત્રોની સહાયથી મેળવેલી માહિતી સાથે પ્રત્યક્ષ તે જગ્યાએ જઈને માહિતી એકઠી કરવામાં આવી હોવાથી તેને વિશ્ર્‌વસનીય માનવામાં આવે છે. ગ્લૅશિયર પીગળવાને કારણે આબોહવાના સમીકરણ બદલાઈ જાય છે. તેને કારણે વારંવાર હવામાનમાં કંઈને કંઈ ઊંધું-ચત્તું થતું જોવા મળે છે.૧૯૯૦માં કરવામાં આવેલા સર્વેક્ષણ પ્રમાણે હમિનદી (ગ્લેશિયરર્સ)નો વિસ્તાર ૧૦૦ કિલોમીટરના ક્ષેત્રમાં પ્રસરેલો હતો. જે હાલમાં ૧૧૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. મે મહિનામાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ હિમાલય પર્વતની આસપાસ કુલ ૫૫૦૦ હિમનદી વહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે કે પર્યાવરણમાં બદલાવને કારણે ઈ.સ. ૨૧૦૦માં ૮૦થી ૯૦ ટકા હિમનદીઓ પીગળી જશે જેની અસરને કારણે ખેતી અને કુદરતી આપત્તિઓમાં વધારો થશે. હિમાલયમાંથી નીકળતી ઉત્તર-પૂર્વ ભારતની નદીઓમાં જળસપાટી વધવાને કારણે આસપાસની જમીન ધોવાઈ જશે. એવી પણ ધારણા થઈ રહી છે કે થોડા સમય બાદ નદીઓમાં પાણી આવતું ઓછું થઈ જશે. આ બે અલગ અલગ અંતિમ સ્તરની દશાને કારણે ભારતની ફૂડ બૅક્ન ગણાતા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારની ખેતીની દુર્દશા થવાની શક્યતા વધશે.ઉત્તરના હિમાલય પરથી આવીએ તો બાકીની ત્રણ બાજુ સમુદ્રનાં પાણી ફેલાયેલ છે. ગ્લોબલ વોર્‌મિંગને લીધે સમુદ્રની સપાટી વધશે એટલે આપણા ૭૫૦૦ કિ.મી લાંબા દરિયાકિનારા અને ૧૩૦૦ ટાપુઓ પાણીમાં સમાઈ જશે તેવો ભય પણ છે. હાલમાં પણ ગુજરાત સહિત અનેક જગ્યાએ દરિયાઈ પાણી જમીન ઉપર કબજો જમાવી રહ્યું છે. ચેન્નઈમાં ફક્ત બે દિવસમાં મેઘરાજાએ તાંડવ મચાવીને કુદરતે બદલાતા મોસમનો મિજાજનો પરચો બતાવી આપ્યો છે.ચીનના કુલ ૨૦૩૦ સ્કે.કિલોમીટરમાં પથરાયેલાં માઉન્ટ ક્વૉલંગ્મા નેચર રિઝર્વમાં કુલ ૧૪૭૬ હિમનદીઓ વહેતી જોવા મળી છે.એક તરફ એવરેસ્ટ પર્વતારોહકની વધતી સંખ્યા અને બીજી તરફ પર્યાવરણમાં આવેલ બદલાવને કારણે હિમનદી ઝડપથી પીગળી રહી છે.નિષ્ણાતોનું કહેવું છે કે હિમનદીનું પીગળવું તે વિસ્તારમાં પર્યાવરણને સુધારે છે.પાણી પૂરતા પ્રમાણમાં મળવાને કારણે વૃક્ષો વધતા જંગલ ગાઢ બનતા જાય છે.એક કિલોમીટરની અંદર તળાવોની સંખ્યા વધવા પામી છે. ૧૯૭૦ના વર્ષમાં તળાવોની સંખ્યા ૧૦૮૧ હતી તે વધીને વર્ષ ૨૦૧૦માં ૧૨૩૬ થવા પામી છે. ૮૦ ટકા તળાવોનું ક્ષેત્રફળ પણ વધી ગયું છે.૧૯૯૭ના વર્ષમાં ૨.૦૯ ક્યુબિક મીટરમાં વૃક્ષો જોવાં મળતાં હતાં. જે ૨૦૧૩ના વર્ષમાં ૨.૨૬ ક્યુબિક મીટરમાં વૃક્ષોનો ફેલાવો થયો હતો.૨૦૧૪માં ૬૯૭૧ પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન ર્ક્યો હતો. જેમાંથી ૪૦૪૨ પર્વતારોહક એવરેસ્ટની ટોચ ઉપર પહોંચ્યા હતા.ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટનું કહેવું છે કે એવરેસ્ટ વિસ્તારમાં આવેલી હિમનદીઓ ઘણી સંવેદનશીલ હોય છે. તાપમાનમાં ફેરફાર થવાને કારણે ઊંચાણવાળા વિસ્તારમાં બરફ પડવાને કારણે વરસાદ વધી ગયો છે. માઉન્ટ એવરેસ્ટને સર કરવાની આશા સાથે આવેલ અનેક પર્વતારોહકના શબની સાથે પરચૂરણ કચરાનું પ્રદૂષણ જેવું કે ખાલી ઓક્સિજનની બોટલો, ખાઈને ગમે ત્યાં ફેંકવામાં આવેલ ફૂડપેકેટનો કચરો, ચડવા માટે ઉપયોગમાં લીધેલી મોટા પ્રમાણમાં તૂટેલી લાકડીઓ, તૂટેલાં તંબૂનો કચરો છોડી દેવાતો હોવાથી, પૃથ્વી ઉપર પથરાયેલ પ્રકૃત્તિના સુંદર ચહેરાને ગંદકી ફેલાવીને કદરૃપો બનાવી દેવામાં માનવી તેની મર્યાદા વિસરી ગયો છે. હિમનદીઓ પીગળતા કદાચ આવનારા વર્ષમાં દુશ્મન દેશને ભારત ઉપર આક્રમણ કરવું સરળ બની જાય તેવી પણ શંકા સેવાઈ રહી છે. ૨૯ મે ૧૯૫૩ની સાલમાં એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપાએ એવરેસ્ટ શિખરને સર ર્ક્યું હતું. જીવનમાં કંઈક સિદ્ધિ મેળવ્યા બદલ બંને એકબીજાને ભેટી પડયા હતા. તેમણે શિખર ઉપર ૧૫ મિનિટ ફોટા પાડીને અને ફૂદીનાના સ્વાદવાળી કેક ખાઈને પસાર કરી હતી. તે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયરની સુંદરતા ભવિષ્યમાં નિહાળવા નહી મળે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
આઇપીએલ-૧૧ હરાજી : બીજા દિવસે જયદેવ સૌથી મોંઘો ખેલાડી જયદેવ ઉનડકટ આઈપીએલ હરાજી ૨૦૧૮ના બીજા દિવસે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહ્યો હતો. જયદેવને રાજસ્થાન રોયલ્સે ૧૧.૫ કરોડ રૂપિયાની જંગી રકમ સાથે ખરીદી લીધો હતો. આની સાથે જ તે આઈપીએલની આ સિઝનમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે ઉભર્યો છે. કેએલ રાહુલ અને મનિષ પાંડેને પાછળ છોડીને બાજી મારી દીધી છે. આ બંને ખેલાડીઓને ક્રમશઃ કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઈઝ હૈદરાબાદે ૧૧-૧૧ કરોડમાં ખરીદી લીધા છે. બેન સ્ટોક સતત બીજા વર્ષે આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ૧૨.૫ કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધો છે. અફઘાનના રશીદ ખાનને સનરાઈઝે આરટીએમનો ઉપયોગ કરીને નવ કરોડમાં ખરીદી લીધો હતો. આ વર્ષે આઈપીએલમાં ૧૫૯ ખેલાડીઓ ઉપર ૪૩૧ કરોડ ૭૦ લાખ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. આઈપીએલની હરાજી પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે મહત્તમ ૨૫ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તેની પાસે ૬.૫ કરોડ રૂપિયાની રકમ બચી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૯ ખેલાડીઓને સામેલ કર્યા છે. રોયલ ચેલેન્જર્સે ૨૪ ખેલાડીઓને સામેલ કર્યા છે. એન્ડ્રુ ટાઈ જે પ્રથમ આઈપીએલમાં રમતીવેળા હેટ્રીક કરી શક્યો હતો તેને કિંગ્સ ઇલેવન પંજાબે ૭.૨ કરોડમાં ખરીદી લીધો છે. વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડી ક્રિસ ગેઇલની પ્રતિષ્ઠા આખરે બચી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે બે કરોડમાં તેને ખરીદી લીધો હતો. અફઘાનનો સ્પીનર મુજીબ ઝારદાન ચાર કરોડમાં ખરીદાયો હતો. નેપાળના લેગસ્પીનર લેમીછાન માટે પણ ઇતિહાસનો દિવસ રહ્યો હતો. તે આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ નેપાળી ખેલાડી બન્યો હતો. દિલ્હી ડેરડેવિલ્સે ૨૦ લાખ રૂપિયામાં તેને ખરીદી લીધો છે. ભારતના અન્ડર ૧૯ના ખેલાડીઓની વધારે બોલબાલા રહી છે. મનજોત કાલરાને ૨૦ લાખમાં, સચિન બેબીને સનરાઈઝ હૈદરાબાદ ૨૦ લાખમાં, રિન્કુ સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સે ૮૦ લાખમાં ખરીદી લીધો છે. ભારતના અન્ડર ૧૯ના ઓલરાઉન્ડર શિવમ માવી ત્રણ કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ગયો છે. દિલ્હીએ અભિષેક શર્માને ૫૫ લાખમાં ખરીદ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે હરાજીની પ્રક્રિયા શરૂ થઇ હતી. ઇન્ડિયન પ્રીમીયર લીગની ૧૧મી સીઝન માટે ગઇકાલથી બેંગ્લુરુમાં પ્લેયર્સની હરાજી શરૂ થઇ હતી. હરાજીમાં આઠ ટીમોની ફ્રેન્ચાઇઝી ઓનર્સ દ્વારા ૧૮૨ પ્લેયર્સ માટે બોલી લગાવવાનું શરૂ કરાયું હતું. બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે રૂ.૧૨.૫ કરોડમાં ખરીદયો હતો. જ્યારે સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓમાં કેએલ રાહુલ અને મનિષ પાંડે રહ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબે આ બંને ખેલાડીઓને ૧૧-૧૧ કરોડમાં ખરીદ્યા હતા. તે પછીના ક્રમે ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને ૮.૨૦ કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. ૫૭૮ ખેલાડીઓમાં ૩૬૦ ભારતીય અને અન્ય ૨૧૮ વિદેશી પ્લેયર છે. હરાજી માટે આ વખતે સૌથી વધારે રૂ.બે કરોડની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી. તે સ્લેબમાં ૩૬ ખેલાડીઓ સામેલ છે. આ સિવાય ૧.૫ કરોડ, ૧ કરોડ, ૭૫ લાખ, અને ૫૦ લાખની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી છે. અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ.૪૦ લાખ, રૂ.૩૦ લાખ અને રૂ.૨૦લાખની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી. ફાઇનલ લીસ્ટમાં સામેલ ૫૭૮ ખેલાડીઓમાંથી ૩૬ની બેઝ પ્રાઇઝ રૂ.૨ કરોડ રાખવામાં આવી હતી, જયારે ૩૩ લોકોની બેઝ પ્રાઇઝ રૂ.દોઢ કરો રખા�� હતી. આઇપીએલની આ વખતની હરાજીમાં ૬૨ કેપ્ડ અને ૨૯૮ અનકેપ્ડ ભારતીય ખલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
મુખ્યમંત્રી રૂપાણી સહિત બધાં સભ્યનાં હોદ્દા-ગુપ્તતાનાં શપથ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના ચૂંટાયેલા ધારાસભ્યોનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો. નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો.નીમાબહેન આચાર્યએ શપથ લેવડાવ્યા હતા, જેના અનુસંધાનમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જો કે, આજના શપથવિધિ સમારોહમાં મીડિયાને બાકાત રખાયું હતુ, જેને લઇ પણ આજે મામલો ગરમાયો હતો. બીજી એક મહત્વની વાત એ હતી કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું જોવા મળ્યું હતું કે, ચૂંટણીઓના પરિણામ બાદ એક મહિનાના લાંબા સમય બાદ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ કર્યા હોય તેવું બન્યું હોય. આવુ ગુજરાતના ઇતિહાસમાં કયારેય બન્યું નથી. સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે સાબરમતી સભાગૃહ ખાતે યાજાયેલા શપથવિધિ સમારોહમાં આજે રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો પૈકી ભાજપના ત્રણ ધારાસભ્યો વિભાવરીબહેન દવે, જગદીશ પંચાલ અને પરસોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા હતા, જેને પગલે ૧૭૯ ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકરે શપથ લેવડાવ્યા હતા. મંત્રી વિભાવરીબહેન દવે વિદેશ પ્રવાસે હોઇ, જગદીશ પંચાલ આઉટ ઓફ સ્ટેટ હોઇ અને પરસોત્તમ સોલંકીના ઘેર પ્રસંગ હોવાથી તેઓ શપથ સમારોહમાં હાજર રહી શકયા ન હતા અને તેથી તેઓ શપથ ગ્રહણ કરી શકયા ન હતા. આજના શપથવિધિ સમારોહમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો પણ સમાવેશ થતો હતો. દરમ્યાન મોરવાહડફની એસટી બેઠકના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના પિતા ઓબીસી હોવાનું કારણ આગળ ધરીને આદિજાતિ કમિશનર દ્વારા તેમનું જાતિનું પ્રમાણપત્ર રદ કરાયું છે જો કે, હજુ સુધી તેમને ચૂંટણીપંચે ગેરલાયક ઠરાવ્યા ન હોઇ તેઓ પણ શપથવિધિ સમારોહમાં સામેલ થયા હતા અને ગોપનીયતાના શપથ લીધા હતા. જો કે, આજના શપથવિધિ સમારોહ દરમ્યાન મીડિયાપર્સન્સને બાકાત રખાતાં ભારે વિવાદ છેડાયો હતો. સુરક્ષા કર્મીઓએ મીડિયાપર્સન્સને ગેટ પર જ અટકાવ્યા હતા કે, ઉપરથી સૂચના છે. મીડિયાકર્મીઓમાં પણ આટલા સારા પ્રસંગે સરકારના આ પ્રકારના વ્યવહાર અને અભિગમને લઇ ભારે નારાજગી પ્રવર્તી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવવા માટે રાજયપાલ ઓ.પી.કોહલી દ્વારા તા. ૧૬મી જાન્યુઆરીએ જ ડો.નીમાબહેન આચાર્યને પ્રોટેમ સ્પીકર તરીકે નીમવામાં આવ્યા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ના થાય ત્યાં સુધી ડો.નીમાબહેન આચાર્ય પ્રોટેમ સ્પીકર તરીકે ચાલુ રહેશે. દરમ્યાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો જયાં સુધી શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી નિયમ પ્રમાણે તેમના પગારભથ્થાં તેમ જ સરકારી લાભો મળતા નથી. ચૂંટણી જીત્યા બાદ પણ એક મહિના સુધી નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અત્યારસુધી શપથ ગ્રહણ નહી કર્યા હોવાના કારણે એક મહિનાનો પગાર જવા દેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે, આજે શપથ ગ્રહણ કરાયા બાદ હવે નવા ધારાસભ્યોને મળવાપાત્ર તમામ લાભો શરૂ થઇ જશે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
૨૦૧૭નું વર્ષ આઇપીઓ માર્કેટ માટે રહ્યું ગોલ્ડન યર પ્રથમ છ માસમાં બજારમાં માત્ર આઇપીઓનીજ બોલબાલા રહી હતી પરંતુ, અંતિમ છ માસમાં ઇન્સ્યોરન્સ કંપનીઓના આઇપીઓએ રોકાણકારોને નિરાશ કરતા આઇપીઓ બજાર એકંદરે સારૂં રહ્યું હોવાનું માની શકાય. ૨૦૧૭ના કેલેન્ડર વર્ષમાં ભારતીય કંપનીઓએ પ્રારંભિરક જાહેર ઓફર થકી અંદાજિત ૭૦,૦૦૦ કરોડ(૧૧ બિલિયન ડોલર) એકત્ર કર્યા છે અને આટલું જ નહી સેબી પાસે ફાઈલ કરેલા ડીઆરએચપીની પ્રારંભિક જાહેરાતને જ ગણીએ તો ૨૦૧૮નું વર્ષ પણ આઇપીઓ માટે સારૂં રહેવાનું છે. જોકે આગામી વર્ષમાં સરકારી કંપનીઓના આઇપીઓ કેવું પ્રદર્શન કરશે તે તો સમય જ બતાવશે. શેરબજારમાં અનપેક્ષિત તેજીની સાથે સંખ્યાબંધ કંપનીઓએ ઈનિશિયલ પબ્લિક ઇશ્યૂ દ્વારા મોટા પ્રમાણમાં ફંડ રાઇઝિંગ કર્યું છે.અર્નેસ્ટ એન્ડ યંગના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઇન્ડિયન પ્રાયમરી માર્કેટમાં ૧૫૩ કંપનીઓએ આઇપીઓ દ્વારા ભંડોળ એક્ત્ર કર્યું છે. આ આઈપીઓ માર્કેટમાં લગભગ બધા જ આઈપીઓએ પોઝીટીવ રીટર્ન આપ્યું છે અને ખાસ કરીને એસએમઇઝ સેક્ટરે રોકાણકારોને નિરાશ નથી કર્યા. અમુક શેરે તો રોકાણકારોને ૫૦૦% સુધીનું વળતર પણ આપ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઓક્ટોબર- ડિસેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રાયમરી માર્કેટમાં ૨૨ આઇપીઓ આવ્યાં છે. જે ક્વાર્ટર-ટુ- ક્વાર્ટર પબ્લિક ઇશ્યૂની સંખ્યામાં ૪૭ ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ ૨૦૧૬ની સરખામણીએ વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયન બીએસઇ, એનએસઇ અને જુનિયર માર્કેટમાં આઇપીઓ કામકાજના ૭૪ ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષે ૧૩૩ એસએમઇ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે.આ સાથે એસએમઇ પ્લેટફોર્મની શરૂઆત બાદ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન રૂ.૧૭૮૫ કરોડ એક્ત્ર કરવામાં આવ્યાં છે. અર્નેસ્ટ એન્ડ યંગે તેના રિપોર્ટ ગ્લોબલ આઇપીઓ ટ્રેન્ડઃ૨૦૧૭માં જણાવ્યું કે, યુરોપ, મીડલ ઇસ્ટ, ઇન્ડિયા અને આફ્રિકન રિજન, બીએસઇ અને એસએમઇ એક્સચેન્જોએ ૧૭ આઇપીઓએ દ્વારા હાઇએસ્ટ ૫.૫ અબજ ડોલરનું ભંડોળ બજારમાંથી ઊભું કર્યું છે. જેમાં જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો ૧.૭ અબજ ડોલરનો આઇપીઓ સૌથી લાર્જેસ્ટ પબ્લિક ઇશ્યૂ હતો. ચાલુ વર્ષે પ્રાયમરી માર્કેટના કામકાજમાં વીમા કંપનીઓનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. જેમાં જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ન્યુ ઇન્ડિયા એસ્યુરન્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યોરન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. આ પાંચ ઇન્સ્યોરન્સ કંપનીઓએ આઇપીઓ ઇશ્યૂ દ્વારા મૂડીબજારમાંથી ટોટલ રૂ.૪૪,૦૦૦ કરોડનું ભંડોળ એક્ત્ર કર્યું છે. ટોપ પરફોર્મરની વાત કરીએ તો મીરા ઈન્ડ.માં ૫૦૮%, એપેક્સ ફોર્જનમાં ૩૧૮% અને શંકરા બિલ્ડિંગમાં ૨૩૪% સુધીનું વળતર જોવા મળ્યું છે. બિગ નેમ પર નજર નાખીએ એવન્યુ સુપરમાર્કેટએ અત્યાર સુધી લિસ્ટિંગ બાદ પણ ૯૦% ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ યાદીમાં એયુ બેંક અને આઇસીઆઇસીઆઇ લોંબાર્ડનો પણ સમાવેશ થાય છે. ઈશ્યુ પ્રાઈસની સામે સૌથી વધુ વળતર : એપેક્સ ફ્રોજન ૩૮૦% શંકરા બિલ્ડિંગ ૨૮૮% ડીમાર્ટ ૨૮૫% સાલસાર ટેક્નો ૧૮૨% પીએસપી પ્રોજેકટ ૧૪૩% એસ્ટ્રોન પેપર ૧૪૨% ડિક્સન ટેક્નો ૧૪૦% સીડીસીએલ ૧૩૬% ૧૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યા બાદ લિસ્ટિંગમાં ૧૪ સ્ટોકે પણ રોકાણકારોને નિરાશ કર્યા છે. સીએલ એજ્યુકેટ,એસ ચાંદ, એઆઇએએલ, જીઆઇસી,ગોદરેજ એગ્રોવેટ, એમબીએલ, ખાદીમ, શેલ્બી, એસબીઆઇ લાઈફ, જીટીપીએલ હેથવે રોકાણકારોના પૈસા ઘટાડ્યાં હતા. ચાલુ વર્ષે આઇપીઓ લઇને બાદમાં લિસ્ટિંગ થયેલ સીએલ એજ્યુકેટ કંપનીનો શેર હાલ તેની ઈશ્યુ પ્રાઇસ કરતાં આશરે ૩૬.૧૬ ટકા નીચે બોલાઇ રહ્યો છે. એસ. ચાંદનો શેર હાલ ૨૯.૪૨ ટકા, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનો શેર ૧૮.૧૬ ટકા, જીટીપીએલ હેથવેનો શેર ૧૪.૭૯ ટકા અને જીઆઇસીનો શેર ૧૨.૮૮ ટકા નીચે બોલાઇ રહ્યો છે. માત્ર પ્રાઈમરી માર્કેટમાં જ નહિ સેકન્ડરી માર્કેટમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેકસ-નિફટી પણ રેકોર્ડ હાઈ પર પહોંચ્યાં હતા. નિફટીએ ૧૦,૫૦૦ અને સેન્સેકસે ૩૪,૦૦૦ની નવી સપાટી હાંસલ કરી હતી. ઇન્ડિયન પ્રાયમરી માર્કેટમાં પ્રોત્સાહક કામગીરી સાથે વર્ષ ૨૦૧૭ના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને વર્ષ ૨૦૧૮નું પણ આના કરતાં પણ સારો રહેશે તેવો પ્રબળ આશાવાદ માર્કેટ એનાલિસ્ટો, ઇન્વેસ્ટરો રાખી રહ્યાં છે. વર્ષ ૨૦૧૮ના આરંભે લગભગ રૂ.૩૦,૦૦૦ કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં છે. જેમાં રૂ.૧૨,૦૦૦ કરોડના આઇપીઓને રેગ્યુલેટરી તરફથી મંજૂરી મળી રહી છે હવે કંપનીઓએ મુર્હત જોવાના બાકી છે. જ્યારે આઠ કંપનીઓના અંદાજે રૂ.૧૮,૦૦૦ કરોડની સાઇઝના પબ્લિક ઇશ્યૂ માટે સેબી તરફથી મંજૂરીની રાહ જોવાઇ રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ, નક્ષત્ર વર્લ્ડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની આઇપીઓ લાવવાની તૈયારીમાં છે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ભરતસિંહ સોલંકીએ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખ્યો, પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓની માંગી માહિતી કોંગ્રેસ પાર્ટીના આંતરિક અસંતોષને કારણે જ ગુજરાતમાં સરકાર બનાવવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી બાદ પક્ષે હવે બળવાખોરી પ્રવૃત્તિ કરનારા લોકો સામે આકરા પગલા લેવાનું નક્કી કર્યુ છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ વિરુદ્ધ આકરા પગલા લેવાશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના તમામ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખી ચૂંટણી દરમ્યાન પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા લોકો અંગે રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ પક્ષની વિરૂદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે.  ભરતસિંહ સોલંકીએ લખેલા પત્રમાં પક્ષ માટે સારુ કામ કરનારા કાર્યકર્તાઓ અંગે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો છે.  મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષની શિસ્તનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા ટકોર કરી હતી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
વર્ષ ૨૦૧૭ની સૌથી મોટી રાજકીય ઘટના….. વર્ષ ૨૦૧૭ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે વર્ષ ૨૦૧૭માં જુદા જુદા ક્ષેત્રોમાં મોટી રાજકીય ઘટનાઓ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ હજુ પણ અકબંધ રહ્યો છે. સત્તામાં ત્રણ વર્ષ છતાં તેમની લોકપ્રિયતા રહી છે. બીજી બાજુ જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે સત્તા મેળવી છે. કોંગ્રેસ પાર્ટીને એક પછી એક નિરાશા હાથ લાગી છે. વર્ષના અંતમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની વરણી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવા નવસર્જનની તકો દેખાઈ રહી છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર રાજકીય ક્ષેત્રે આંદોલન ચલાવીને ઉભરી આવ્યા છે તેમની ચર્ચા પણ રાજકીય ક્ષેત્રમાં જોવા મળી છે. વર્ષ ૨૦૧૭માં રાજકીય ક્ષેત્રે જે મોટી ઘટનાઓ રહી તે નીચે મુજબ છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ સત્તામાં સાડાત્રણ વર્ષથી વધુ સમય હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશભરમાં અકબંધ રહી છે. આજે પણ ચૂંટણી યોજાઈ જાય તો મોદી સરકારને સૌથી વધુ મત મળે છે તેવા સર્વે પણ આવી ચુક્યા છે. વડાપ્રધાન પદ ઉપર તેમને જોવા ઇચ્છુક લોકોની સંખ્યા સૌથી વધારે છે. તેમના ફોલોઅર્સમાં સતત વધારો થઇ રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમના ઝંઝાવતી પ્રચાર અને લોકપ્રિયતાના કારણે ભાજપને એક પછી એક રાજ્યોમાં જીત મળી છે જેમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજકીય ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ રહેલા રાજ્યોનો સમાવેશ થાય છે. મોદી દ્વારા લેવામાં આવેલા સાહસી પગલાઓની પણ પ્રશંસા થઇ છે જેમાં નોટબંધી, જીએસટી અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા નિર્ણયનો સમાવેશ થાય છે. વિકાસ પુરુષ તરીકે તેમની નોંધ લેવાઈ છે. વિશ્વના મંચ ઉપર એક મજબૂત નેતા તરીકે નરેન્દ્ર મોદી ઉભરી આવ્યા છે. આવનાર સમયમાં તેમની લોકપ્રિયતા વધે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખરે ૧૬મી ડિસેમ્બરના દિવસે રાહુલ ગાંધીની તાજપોશી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેમને કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટેની હિલચાલ ચાલી રહી હતી. આખરે આજે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવતરીતે તાજપોશી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ દેશભરમાં ઉજવણી કરી હતી. રાહુલ ગાંધી ઉપર શુભેચ્છાઓનો વરસાદ પણ થયો હતો. મોટાભાગના રાજકીય પક્ષોએ પણ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસની જુની પરંપરાને સફળરીતે આગળ વધારશે. તેમનામાં તમામ પ્રકારની કુશળતા રહેલી છે. જો કે, રાહુલ ગાંધી સામે શ્રેણીબદ્ધ નવા પડકારો પણ રહેલા છે. કોંગ્રેસ પાર્ટીની તાજેતરના સમયમાં એક પછી એક રાજ્યોમાં હાર થઇ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાની સાથે સાથે આવનાર સમયમાં યોજાનારી વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિને સુધારવાની પણ મોટી જવાબદારી રહેશે. હાલના વર્ષોમાં ખરડાયેલી પ્રતિષ્ઠા સુધારવા માટેની પણ તેમની જવાબદારી રહેશે. લોકોમાં જે છાપ ખરાબ થઇ છે તેને સુધારવાની પણ રાહુલ સામે મોટી જવાબદારી રહેશે. રાહુલ ગાંધીની તાજપોશી કરવામાં આવ્યા બાદ કાર્યકરો ઉત્સાહિત દેખાયા હતા. ગુજરાતમાં ફરી ભાજપ સરકાર ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો ૧૮મી ડિસેમ્બરે અંત આવ્યો હતો. હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયા બાદથી જ પરિણામને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ તમામમાં ભાજપને લીડ આપવામાં આવી રહી હતી પરંતુ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ત��ામ ચોંકી ઉઠ્યા હતા. એક વખતે તો જ્યારે પ્રવાહ આગળ વધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે ભાજપ પર લીડ મેળવી લીધી હતી.જો કે ભારે રસાકસીની સ્થિતી છેલ્લે સુધી રહ્યા બાદ અને દિલધડક ટક્કર થયા બાદ ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. તમામ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૯૯ સીટ જીતીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં અને તમામ તાકાત લગાવી હોવા છતાં ૮૦ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. હાર્દિક ફેક્ટર, જુદા જુદા આંદોલનના કારણે સરકારથી કેટલાક ચોક્કસ સમુદાયની નારાજગી, જીએસટી અને નોટબંધીની અસર દેખાઇ ન હતી. મોદી મેજિક વચ્ચે ભાજપે ફરી ભગવો લહરાવ્યો હતો. અન્યોને ફાળે ચાર સીટ ગઇ હતી. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની હાર થઇ હતી. ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર બની ગઈ છે. ભાજપે સત્તાવિરોધી લહેરને પાર પાડીને મોદીની લોકપ્રિયતા વચ્ચે ગુજરાતમાં ફરી સત્તા બનાવી લીધી છે. રૂપાણી મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે જારી રહ્યા છે. હાર્દિક પટેલનો પાવર પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને આંદોલન શરૂ કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે દેશભરમાં લોકપ્રિયતા મેળવી લેવામાં સફળતા મેળવી હતી. તમામ નેતા લીડરો સાથે તેને મળવાની તક પણ મળી હતી. પોતાની સભાઓ અને રોડ શોમાં લાખોની સંખ્યામાં ભીડ એકત્રિત કરનાર હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપની ઉંઘ હરામ કરી દીધી હતી. ભાજપની ઘણી સીટો ઓછી કરવામાં હાર્દિક પટેલે ભૂમિકા ભજવી છે. અલબત્ત ભાજપને પરાજિત કરવાના ઇરાદા ધરાવનાર હાર્દિક પટેલને તેના ઇરાદામાં સફળતા મળી નથી. વડાપ્રધાન મોદી અને ભાજપ સામે તમામ તાકાત લગાવી હોવા છતાં સફળતા મળી નથી. જો કે, હાર્દિક પટેલ એક આક્રમક લીડર તરીકે ચોક્કસ પણે ઉભર્યો છે. પોતાના આંદોલનને જારી રાખવાની વાત તે હજુ પણ કરી રહ્યો છે. ભાજપની સરકાર બન્યા બાદ તેના ઉપર હવે દબાણ વધ્યું છે. જિગ્નેશ અને અલ્પેશનું કોંગ્રેસને સમર્થન જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને પોતાની તરફેણમાં કરીને કોંગ્રેસ પાર્ટીએ જાતિ કાર્ડ રમવાના તમામ પ્રયાસો કર્યા હતા. આ બંને લીડરોએ પણ આંદોલનમાંથી ઉભરી આવ્યા બાદ પોતપોતાની સીટ ઉપર ચૂંટણી જીતવામાં ગુજરાતમાં સફળતા મેળવી છે પરંતુ તેમની લોકપ્રિયતા જળવાઈ નથી. કોંગ્રેસ પાર્ટીની આ બંનેને સાથે લઇને જાતિકાર્ડ રમીને ભાજપને પછડાટ આપવાની યોજના સફળ રહી નથી. જિગ્નેશે રાધનપુરમાંથી જીત મેળવી લીધી છે. અલ્પેશે પણ જીત મેળવી છે. પરંતુ આ બંને નેતાઓ અપેક્ષા મુજબ કોંગ્રેસને જીત અપાવી શક્યા નથી. આગામી દિવસોમાં આ બંને યુવા લીડરોની ભૂમિકા કેવી રહેશે તેને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. પોતપોતાના સમુદાય માટે આંદોલન મારફતે આ બે લીડરો આગળ આવ્યા હતા. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જોડાઈ ચુક્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગી રાજ ઉત્તરપ્રદેશમાં વર્ષની શરૂઆતમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોદી લહેર વચ્ચે જોરદાર સપાટો બોલાવીને ભાજપે પ્રચંડ બહુમતિ મેળવી હતી અને ઉત્તર પ્રદેશમાં સ્પષ્ટ બહુમતિ સાથે ભાજપ સરકાર બની ગઈ છે. તમામ રાજકીય પંડિતોની ગણતરી ઉંધી વળી ગઈ હતી. ઉત્તરપ્રદેશમાં ૪૦૩માંથી ભાજપે ૩૧૨, સમાજવાદી પાર્ટીએ ૪૭ અને કોંગ્રેસને સાત બેઠકો મળી હતી. બહુજન સમાજ પાર્ટીને ૧૯ બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હોવા છતાં તેમની કારમી હાર થઇ હતી. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે સત્તારુઢ થયા બાદ એક પચી એક વિકાસલક્ષી નિર્ણયો કરીને પોતાની લોકપ્રિયતાને આગળ વધારી રહ્યા છે. ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રમ રાવતની સરકાર વર્ષ ૨૦૧૭માં ભાજપે એક પછી એક રાજ્યોમાં સત્તા હાસલ કરવામાં સફળતા હાંસલ કરી છે જેમાં ઉત્તરાખંડમાં ભાજપે સપાટો બોલાવીને ૫૭ બેઠકો જીતી લીધી હતી જ્યારે કોંગ્રેસને માત્ર ૧૧ બેઠકો મળી હતી. ત્રિકેન્દ્રરાવ મુખ્યમંત્રી બની ગયા છે. મણિપુર, ગોવામાં પણ ભાજપની સરકાર બની ગઈ છે. હિમાચલમાં ભાજપની જયરામ ઠાકુરની સરકાર હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી ભાજપે જોરદાર અને પ્રચંડ જીત મેળવી હતી. કોંગ્રેસની વીરભદ્રસિંહ સરકારનું પતન થયું છે. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામા ભાજપે સફળતા મેળવી હતી. હિમાચલ પ્રદેશની કુલ ૬૮ બેઠક પૈકી ભાજપે ૪૪ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો છે જ્યારે કોંગ્રેસને ૨૧ બેઠકો હાથ લાગી છે. અન્યોના ખાતામાં ત્રણ સીટો ગઇ છે. હિમાચલમાં બહુમતિ માટેનો જાદુઈ આંકડો ૩૫નો રહ્યો છે. મતગણતરીની શરૂઆત થયા બાદ હિમાચલપ્રદેશમાં તો શરૂઆતથી જ ભાજપે લીડ મળી હતી. હિમાચલમાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે ૯મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયુ હતુ. આવી સાથે જ તમામ ૩૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હિમાચલપ્રદેશમાં કોની સરકાર બનશે તે અંગે ફેંસલો થયો હતો. ઉંચા મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બન્ને જીતના દાવા કરી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં રેકોર્ડ ૭૫ ટકાથી વધુ મતદાન થયું હતું. હિમાચલમાં હવે જયરામ ઠાકુર મુખ્યમંત્રી બન્યા છે. ૨૦૧૬માં નોટબંધી બાદ ૨૦૧૭માં જીએસટી દેશભરમાં ઉજવણી વચ્ચે આખરે પહેલી જુલાઈના દિવસે ઐતિહાસિક જીએસટી વ્યવસ્થા અમલી બની ગઇ હતી. આની સાથે જ એક રાષ્ટ્ર એક ટેક્સ અને એક માર્કેટ મારફતે ન્યુ ઇન્ડિયાના નિર્માણની શરૂઆત થઇ હતી. એકંદરે જીએસટીથી મોટાભાગના લોકોને લાભ થશે તે અંગેનો દાવો મોદી સરકાર અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહ્યા હતો. આનાથી દેશના જીડીપીમાં પણ સુધારો થશે. વડાપ્રધાન મોદી જીએસટી લોન્ચિંગ વેળા કહી ચુક્યા છે કે, નવી વ્યવસ્થાથી સામાન્ય લોકો ઉપર કોઇ બોજ પડશે નહીં. જીએસટીના દોર પર દેશ આધુનિક ટેક્સ વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વ્યવસ્થા વધુ સરળ અને પારદર્શી છે. આનાથી બ્લેકમનીને રોકી શકાશે. ભ્રષ્ટાચારને રોકવામાં આવશે. જીએસટી પર સંસદમાં પહેલાના સાંસદો અને વર્તમાન સાંસદોએ સતત ચર્ચા કરી છે. બંધારણીય સભાની પ્રથમ સભા સાક્ષી તરીકે છે. દેશમાં એક નવા યુગની શરૂઆત થઇ હતી. જીએસટી અમલી બન્યા બાદ હવે એક દેશ અને એક ટેક્સ વ્યવસ્થા આવી ગઇ હતી. દેશમાં હજુ સુધીના સૌથી મોટા અને ઐતિહાસિક કરવેરા સુધારાના લોન્ચિગ કાર્યક્રમ વેળા તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે કરવેરા સુધારાને લોન્ચિંગ કરવા માટે ઐતિહાસિક પળ આખરે ૧૨ વાગે આવી ગઇ હતી. રાત્રે ૧૨ વાગતાની સાથે જ તત્કાલિન રાષ્ટ્રપતિ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ એક સાથે બટન દબાવીને સમગ્ર દેશમાં એક ટેક્સ વ્યવસ્થાને વિધીવતરીતે અમલી બનાવી દીધી હતી. કાનીમોઝી-રાજા નિર્દોષ છુટ્યા સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ભૂકંપ સર્જનાર દેશના સૌથી મોટા કોભાંડો પૈકી એક તરીકે ગણાતા રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કોંભાંડ કેસમાં ૨૧મી ડિસેમ્બરના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. પૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કાનીમોઝી સહિત તમામ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે નિર્દોષ જાહેર કરી દીધા હતા. આ ચુકાદાથી કેસમાં નવો વળાંક આવી ગયો હતો નાટ્યાત્મકરીતે વળાંક આવ્યા બાદ ચુકાદો જાહેર કરાતા કાયદાકીય નિષ્ણાતોમા પણ આને લઇને ચર્ચા છેડાઈ ગઈ હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને પણ આના કારણે રાહત થઇ હતી. કારણ કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ગાળા દ���મિયાન આ મામલો બન્યો હતો. સ્પેશિયલ સીબીઆઇ જજ ઓપી સૈનીએ ચુકાદો જાહેર કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મની લોન્ડરિંગ કેસમાં તમામ આરોપોમાંથી તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. ઘાસચારા કૌભાંડ કેસમાં લાલૂ ફરી દોષિત લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સજાની જાહેરાત હવે ત્રીજી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. લાલૂ યાદવને રાંચી કોર્ટમાંથી સીધીરીતે બિરસામુંડા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. લાલૂ ઉપરાંત આરોપીઓમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર મિસાદ, આરકે રાણા, ધ્રુવ ભગત, આઈએએસ ઓફિસર મહેશ પ્રસાદ, બેક જુલિયસ સહિત ૨૨ લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં લાલૂની સાથે તેમના પુત્ર તેજસ્વી યાદવ પણ ઉપસ્થિત હતા. ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ લાલૂએ એક પછી એક ટિ્‌વટ કર્યા હતા.
0 notes